મનોરંજન

કંગના રનૌતે જન્મદિવસ પર શ્રીનાથજીના દર્શન કર્યા, દેશના યુવાનોને આ અપીલ કરી

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાનો જન્મદિવસ ઉજવવા માટે ઉદયપુર આવી છે, આજે જન્મદિવસ પર કંગના રનૌત રાજસમંદ જિલ્લાના નાથદ્વારા પહોંચી હતી. જ્યાં પરિવાર સાથે ભગવાન શ્રીનાથજીના રાજભોગ ઝાંખીના દર્શન કર્યા. જ્યાં પરંપરાગત રીતે દર્શન કરી શાંતિ અને ધન્યતા અનુભવી હતી સાથે દેશના યુવાનો અપીલ પણ કરી હતી. અહીંથી પોતાના ઘર માટે શ્રીનાથજીની તસ્વીર લીધી હતી ત્યારબાદ ઉડી પુર રવાના થઇ હતી. તમને જણાવી દઈએ કે કંગના રનૌત આગામી ફિલ્મ ચંદ્રમુખીનું શૂટિંગ કરીને તે ઉદયપુર પહોંચી હતી.

આ પણ જુઓ : https://youtu.be/vE-03Vfb0N0

શ્રીનાથજીના દર્શન કર્યા

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજે જન્મ દિવસ છે. કંગના રનૌત રાજસમંદ જિલ્લાના નાથદ્વારા પહોંચી હતી જ્યાં તેણે પરિવારના સભ્યો સાથે શ્રીનાથજી ભગવાનના રાજભોગ ઝાંખીની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. જો કે, કંગના રનૌત પોતાનો જન્મદિવસ ઉજવવા ઉદયપુર આવી છે અને આ દરમિયાન તે આજે તેના જન્મદિવસે નાથદ્વારાના શ્રીનાથજી મંદિરે પહોંચી હતી જ્યાં તેણે દેવતાના દર્શન કર્યા હતા અને મંદિરની પરંપરા મુજબ સંકલ્પ પણ કર્યો હતો. આ પ્રસંગે કંગના રનૌતે કહ્યું કે શ્રીનાથજીના દર્શન કર્યા બાદ તેને શાંતિ અને શુકુન મળ્યું છે અને વારંવાર અહીં આવવાનું મન થાય છે.

આ પણ વાંચો : કંગનાની ‘ચેતવણી’ બાદ દિલજીત દોસાંઝે પણ તોડ્યું મૌન! કહ્યું- ‘મારું પંજાબ ખીલતું રહે’

દેશના યુવાનોને આ અપીલ કરી

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે અને પોતાની કમેન્ટથી હંમેશા ચર્ચામાં રહે છે. લાખો યુવા વર્ગ તેણે ફોલો કરે છે. આજે જન્મદિવસ નિમિત્તે કંગના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા પહોંચી હતી જ્યાં તેણે શ્રીનાથજીના દર્શન કરી શાંતિ અને ધન્યતા અનુભવી હતી સાથે જ દેશના યુવાનોને એક આપી પણ કરી હતી, જેમાં તેણે યુવાનોને દેશની પ્રગતિમાં સહકાર આપવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો : કંગના રનૌતે લગ્નની શુભેચ્છા પાઠવી તો સ્વરા ભાસ્કરે આપ્યો કંઈક આવો જવાબ !

પોતાના ઘર માટે શ્રીનાથજીની તસવીર લીધી

કંગના રનૌતએ નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યાર બાદ અહીની બજારમાં થોડો સમય પસાર કર્યો હતો. દરમિયાન તેણે પોતાના ઘર માટે ભગવાન શ્રીનાથજીની તસ્વીર લીધી હતી. ત્યારબાદ તે ઉદયપુર જવા માટે રવાના થઇ હતી.

Back to top button