ગુજરાતટોપ ન્યૂઝ

વાર્ષિક રૂ.8 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના સંતાનો માટે 50 ટકા ફિ

  • બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના સંતાનો માટે નિશુલ્ક શિક્ષણ
  • નવા એડમિશન સાથે જ યોજનાનો અમલ કરાશે
  • અમદાવાદમાં કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી

સ્કિલ્ડ જનરેશન તૈયાર કરવા ગુજરાત સરકારે અમદાવાદમાં કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી છે. જેની સાથે રાજ્યની અનેક કોલેજ-ઈન્સ્ટિટયૂટનું પણ જોડાણ થયેલું છે. આ યુનિવર્સિટીમાં શિક્ષણ માટે આર્થિક સ્તરે પછાત, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને તક ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના- MKPYને શ્રામ અને રોજગાર વિભાગે લોન્ચ કરી છે. આ યોજના હેઠળ આ શૈક્ષણિક વર્ષથી જે વાલીની વાર્ષિક આવક રૂપિયા 8 લાખ સુધીની હશે તેમના સંતાનોના શિક્ષણ માટેની ફીમાં સરકાર 50 ટકા માફી આપશે.

આ પણ વાંચો: 200 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાંથી છુટ્યા, આજે વાઘા અટારી સરહદે આવશે 

નવા એડમિશન સાથે જ યોજનાનો અમલ કરાશે

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ આર. સી. જાડેજાની સહીથી MKPYના અમલ માટે પ્રસિદ્ધ ઠરાવમાં અમદાવાદ સ્થિત સ્કિલ યુનિવર્સિટી જ નહિ પરંતુ, તેની સાથે જોડાયેલી અર્થાત એફિલેટેડ સેલ્ફ ફાઈનાન્સ ઈન્સ્ટિટયૂટને પણ આવરી લેવાયા છે. વિતેલા બે વર્ષથી આ યુનિવર્સિટી દ્વારા ડિમાન્ડ આધારિત સ્કીલ્ડ પર્સન તૈયાર કરવા સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા અને પ્રમાણપત્ર કક્ષાના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જેમાં ડ્રોન ટેકનોલોજીથી શરૂ કરીને બેંકિંગ, ક્લાઉડ, લોજીસ્ટિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાઈબર સિક્યોરિટી, સ્ટીલ ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટ એન્ડ મોબિલિટી, ડિઝાઈન, હાઉસ કિંપિંગ, લેબલ લો સહિત અનેક વિષયો અને ક્ષેત્રોને સ્પર્શતા બીબીએ. બીસીએ, બીકોમ અને તેથી ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ સહિતના કોર્સ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વિદેશમાં લગ્નની ઘેલછા યુવતીને ભારે પડી 

બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના સંતાનો માટે નિશુલ્ક શિક્ષણ

બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના સંતાનો માટે નિશુલ્ક શિક્ષણ આપવા સરકારે નિર્ણય પણ કર્યો છે. 12મી મે 2023ના રોજ ઉપસચિવ વિજય સાંગડિયાની સહીથી પ્રસિદ્ધ ઠરાવમાં નોંધાયેલા શ્રમિકોના વધુમાં વધુ બે સંતાનો માટે ફી રિએમ્બર્સ કરી આપવા અર્થાત મફત શિક્ષણ આપવા કહેવાયું હતું. ત્યારબાદ 29મી મે 2023ના રોજ MKPYના અમલનો ઠરાવ પ્રસિદ્ધ થયો છે. જેમાં વાર્ષિક 8 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના સંતાનો માટે વાર્ષિક રૂ.30,000 કે કુલ ફીના 50 ટકા આ બેમાંથી જે ઓછું હોય તે ધોરણે સ્લોરશીપ આપવા કહેવાયું છે. જે માટે પ્રવેશ લાયકાતની પરીક્ષાના 50 ટકા કે તેથી વધુ ગુણાંક સાથે પરીક્ષા પાસ કરેલી હોય તે અનિવાર્ય છે.

Back to top button