મનોરંજન

નોરાનો ચોંકાવનારો ખુલાસો: કહ્યું સુકેશ મારી સાથે બળજબરી પુર્વક……..

Text To Speech

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિઝ જ્યારથી ઠગ સુકેશ ચંદ્રશેખરના સંપર્કમાં આવ્યા ત્યારથી તેઓ વિવાદોમાં ફસાયા છે. કાલે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ સુકેશ અને તેની 200 કરોડની ખંડણીના સંબંધમાં નોરા 6 કલાક ની પૂછપરછ કરી હતી. જ્યાં નોરાએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતા અનેક ખુલાસા કર્યા હતા. તમને જણાવી દઇએ તો એક મહિનામાં સુકેશ કેસમાં બીજી વખત નોરાની પુછતાછ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી (ક્રાઈમ) રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું હતું કે નોરા ફતેહી, મહેબૂબ અને પિંકા ઈરાની એમ ત્રણેયની પુછતાછ કરી હતી.

શુકેસ મોંઘી ગિફ્ટની લાલચ આપી શારીરીક સંબંધ બનાવવા માંગતો:

વિન્દ્ર સિંહ યાદવે ક્રાઈમ બ્રાંચના ઓફિસરે કહ્યું હતુ કે નોરાએ પોતાના નિવેદનમાં સુકેશ પાસેથી ગિફ્ટ લીધી હોવાનું કબુલ્યુ હતુ. જે બાદ શુકેસ ગિફ્ટના બહાને અવાર નવાર નોરાને મળવા પહોચીં જતો. ત્યારે ક્રાઈમ બ્રાંચ સામે મોટો ખુલાસો કર્યો હતો કે શુકેસ મોંઘી ગિફ્ટની લાલચ આપી શારીરીક સંબંધ બનાવવા માંગતો હતો. જેને લઈને તે નોરાને કેટલીક વાર ફોર્સ પણ કરી ચુક્યો છે. જે બાદ નોરાને લાગ્યું કે આ વધુ પડતું થઈ રહ્યું છે ત્યારે તેણે ઠગ સુકેશ સાથેનો સંપર્ક કાપી નાખ્યો.

નોરાએ કર્યુ બ્રેકઅપ:

નોરા ફતેહીએ સાફ શબ્દોમાં પોતાના નિવેદનમાં કહ્યું, “મેં બ્રેકઅપ કરી લીધુ કારણ કે તે બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયાસ કરી રહ્યો હતો.” જે બાદ પોલીસે કહ્યું કે નોરા એમ કહી રહી ન હતી કે તેમને ખબર પડી હતી કે શુકેસ કંઈક ખોટું કરી રહ્યો છે.

રવિન્દ્ર સિંહ યાદવે કહ્યું, “નોરા અને જેકલીનના મામલા અલગ છે. નોરા જ્યારે સુકેશથી પરેશાન થઈ ગઈ ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો પરંતુ જેકલીનને ગિફ્ટ્સ મળતી રહી.” તપાસમાં જેકલીન ફર્નાન્ડીઝના મેનેજર પ્રશાંતે જણાવ્યું કે તેને પણ શુકેસે બાઇક પૂછ્યા વગર આપી દિધી હતી કારણકે સુકેશનો હેતુ પ્રશાંતના જરીયે જેકલીનને મિત્ર બનાવવાનો હતો.

જે અંગે પ્રશાંતે કહ્યું કે મેં ગિફ્ટ સ્વિકારી પણ તેનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. તે મારા દ્વારા જેકલીન સુધી પહોંચવા માંગતો હતો.

Back to top button