અમદાવાદગુજરાત

વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલે ફરિયાદમાં PI ભરવાડનું આરોપી તરીકે નામ, 7 લોકો સામે ફરિયાદ

Text To Speech

અમદાવાદ, 25 એપ્રિલ 2024, શહેરના વસ્ત્રાપુર ખાતેના ભરવાડ વાસમાં પથ્થરમારાની ઘટના બની હતી.એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 7 જેટલા લોકો ઘાયલ થયા અને એક 70 વર્ષીય મહિલાનું મોત થયું. ત્યારે હવે આ મામલે પોલીસે ગાંધીનગરમાં ટ્રાફિકના PI ગોવિંદભાઈ ભરવાડ સહિત સાત લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. ભરવાડ વાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

રાયોટિંગ કેસમાં PI ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ
આગામી 9 મેના રોજ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવની પત્રિકામાં નામ લખવા બાબતે અથડામણ થઈ હતી. વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, PI ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવવું હતું. હવે પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ કેસમાં PI ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે PI ગોવિંદ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને હવે તપાસ હાથ ધરી
પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે ACP એ ડિવિઝન જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, ગઈકાલે ભરવાડવાસનાં બે ટોળા વચ્ચે અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા 70 વર્ષીય મહિલાને છાતીના ભાગે પથ્થર વાગતા તેમનું મૃત્યુ થયું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને હવે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃમુંબઈના 1.84 કરોડની ઠગાઈ કેસમાં ASIએ 5 લાખની લાંચ લેવા સગા ભાઇને મોકલ્યો

Back to top button