બિઝનેસ

1 એપ્રિલથી બદલાશે આ નિયમો, ખિસ્સા પર પડશે અસર, જાણો સંપૂર્ણ વિગતો

આજે અમે તમને એવા જ કેટલાક મોટા ફેરફારો (1 એપ્રિલ, 2023 થી નિયમોમાં ફેરફાર) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જો તમે આ ફેરફારોથી વાકેફ છો, તો તમે કોઈપણ ચિંતા વગર તમારું કામ સમયસર પૂરું કરી શકો છો. આગામી મહિનાના ફેરફારોમાં ગેસ સિલિન્ડરની કિંમત, બેંક રજાઓ, આધાર-પાન લિંક સહિત ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારું બજેટ બગાડી શકે છે, જેની સીધી અસર તમારા રોજિંદા જીવન પર પડશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

1. PAN કાર્ડ બંધ થઇ જશે

તમારું પાન કાર્ડ હજી સુધી લિંક કરાવ્યું ન હોય તો તમે 31 માર્ચ પહેલા કરાવી લેજો જેથી 1 એપ્રિલથી તમારું પાનકાર્ડ બંધ ન થાય. ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 139AA મુજબ દરેક વ્યક્તિ જેને 1 જુલાઈ 2017ના રોજ એક PAN ફાળવવામાં આવ્યું છે અને જે આધાર નંબર મેળવવા પાત્ર છે, નિર્ધારિત ફોર્મ અને યોગ્ય રીતથી પોતાના આધાર નંબરની જાણકારી આપશે. બીજા રીતે કહીએ તો આવી વ્યક્તિઓએ 31 માર્ચ સુધીમાં લેટ ફી પેમેન્ટ સાથે પોતાનું આધાર અને પાન કાર્ડ અનિવાર્ય રીતે લિંક કરાવવું પડશે. જો લિંક નહી કરો તો 1 એપ્રિલ બાદ તમારે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે.

આ પણ વાંચો : જુઓ ક્યારથી SBI, RTO, TDS અને આધાર-પાન કાર્ડ સહિતની ઘણી સેવાઓના નિયમો બદલાશે ?

2. આ ગાડીઓ મોંઘી થશે

Honda, Maruti Suzuki, Tata Motors, Hero Motocorp જેવી કંપનીઓની ગાડીઓ મોંઘી થઇ શકે છે. BS-6 ના બીજા ફેઝના ટ્રાન્ઝિશન સાથે ઓટો કંપનીઓનો ખર્ચો સતત વધી રહ્યો છે આ ઉપરાંત ઈન્ફલેશનને જોતા તેઓ આ વધેલા ખર્ચાને ગ્રાહકો પર નાખી રહી છે અને આવામાં જો તમે 1 એપ્રિલ પછી ગાડી ખરીદવાનું વિચારતા હોવ તો તમારા ખિસ્સા ઉપર પણ વધુ બોજો પડશે. Honda, Maruti Suzuki, Tata Motors, Hero Motocorp જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ પહેલી એપ્રિલથી પોતાની ગાડીઓના અલગ અલગ વેરિએન્ટ્સના ભાવ વધારશે.

3. દિવ્યાંગો માટે UDID અનિવાર્ય થશે

દિવ્યાંગોએ 17 સરકારી યોજનાઓનો લાભ લેવા માટે 1 એપ્રિલથી ફરજિયાતપણે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ દિવ્યાંગો માટેના વિશિષ્ટ ઓળખપત્ર (UDID) સંખ્યા બતાવવી પડશે. સરકારે કહ્યું છે કે જેમની પાસે UDID ન હોય તો તેમણે દિવ્યાંગતા પ્રમાણપત્ર સાથે UDID નામાંકન સંખ્યા (ફક્ત UDID પોર્ટલ દ્વારા મળેલ) આપવી પડશે. દિવ્યાંગ કેસોના વિભાગ તરફથી બહાર પડેલા એક કાર્યાલય યાદી મુજબ એ ખ્યાલ રાખવામાં આવે કે UDID સંખ્યાની પૂરી પાડી હોય તેવા દિવ્યંગોએ દિવ્યાંગતા પ્રમાણપત્રની હાર્ડકોપી કે દિવ્યાગતા પ્રમાણપત્ર અપલોડ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો : 15 વર્ષથી જૂના વાહનો થઈ જશે ભંગાર, કેન્દ્ર સરકારનો નિયમ 1 એપ્રિલથી થશે લાગુ

4. 6 આંકડાના HUID માર્કાવાળા દાગીનું જ વેચાણ થઇ શકશે

1 એપ્રિલથી સોનાના એવા દાગીના અને કલાકૃતિઓનું વેચાણ થઈ શકશે જેના પર 6 અંકોવાળા હોલમાર્ક અલ્ફાન્યૂમેરિક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) સંખ્યા અંકિત હશે. તેનો અર્થ એ થયો કે 31 માર્ચ બાદ HUID વગરના જૂના હોલમાર્કવાળા દાગીનાનું વેચાણ થઈ શકશે નહીં. ગ્રાહકોના મુદ્દેના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રાહકોના હિતોને સુરક્ષિત કરવા માટે તમામ પક્ષકારો સાથે સલાહ સૂચનો કર્યા બાદ આ અંગે 18 જાન્યુઆરીના રોજ નિર્ણય લેવાયો હતો. ગોલ્ડ હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર હોય છે. તે 16 જૂન 2021થી સ્વૈચ્છિક હતું. છ અંકોવાળી HUID સંખ્યાને એક જુલાઈ 2021થી લાગૂ કરાઈ છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે ગ્રાહકો પાસે હાલના જૂના હોલમાર્કવાળા દાગીના માન્ય ગણાશે.

5. હાઈ પ્રીમીયમવાળી વીમા પોલીસી પર લાગશે ટેક્સ

તાજેતરનાં બજેટ 2023માં જાહેરાત થઈ હતી કે જો તમારા વીમાનું વાર્ષિક પ્રીમિયમ 5 લાખથી વધુ હશે તો તેનાથી દ્વારા થતી કમાણી પર ટેક્સ લાગશે. અત્યાર સુધી વીમાથી થતી રેગ્યુલર ઈન્કમ સંપૂર્ણ રીતે ટેક્સફ્રી હતી. તેનો ફાયદો HNI એટલે કે નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલને મળતો હતો. ત્યારબાદ HNI ને વીમાથી થનારી કમાણી પર લિમિટેડ લાભ જ મળશે. તેમાં ULIP પ્લાનને સામેલ કરાયો નથી. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થશે.

આ પણ વાંચો : ડૂબતી બેંક, ચળકતું સોનું, જાણો છેલ્લા 17 વર્ષમાં સોનામાં 6 ગણો વધારો કેવી રીતે થયો

6. ગોલ્ડના કન્વર્ઝન પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે નહીં

બજેટ 2023માં જાહેરાત થઈ હતી કે જો તમે 1 એપ્રિલથી ફિઝિકલ ગોલ્ડને ઈ-ગોલ્ડ કે ઈ-ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરશો તો તમારે તેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ આપવો પડશે નહીં. ગોલ્ડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. જો તમે કન્વર્ઝન બાદ તેને વેચશો તો તમારે LTCG ના નિયમો હેઠળ ટેક્સ ભરવો પડશે.

7. LPG, CNG, PNG ના ભાવમાં ફેરફાર

દેશમાં દર મહિનાની 1 તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ઓઈલ અને ગેસના ભાવમાં ફેરફાર કરે છે. બની શકે કે આ વખતે પણ પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવમાં ફેરફાર જોવા મળે. તમારા કુકિંગ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો : મન કી બાત : આજે 99મો એપિસોડ, ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ની ઉજવણી થશે, જાણો બીજી કઈ મહત્વની વાત કરી

8. એપ્રિલમાં આટલા દિવસ બેંક બંધ રહેશે

આ વર્ષે એપ્રિલમાં બેંકમાં કુલ 15 દિવસ રજા રહેશે. જેમાં તહેવારો, જયંતી, વીકએન્ડ રજાઓ સામેલ છે. મહિનાની શરૂઆત જ રજા સાથે થઈ રહી છે. એપ્રિલમાં આ વખતે આંબેડકર જયંતી, મહાવીર જયંતી, ઈદ ઉલ ફિત્ર સહિત અને અવસરોએ બેંક બંધ રહેશે. આ ઉપરાંત કુલ 7 દિવસની વીકેન્ડની રજાઓ પણ સામેલ છે.

9. Debt Mutual Fund માં LTCG ટેક્સ બેનિફિટ નહીં મળે

DMF એટલે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ટેક્સ મુદ્દે લાભકારક ગણાતું હતું. પરંતુ શુક્રવારે લોકસભામાં પાસ થયેલા ફાઈનાન્સ બિલમાં તેને LTCGએટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઈનના દાયરામાંથી બહાર કરાયું છે. ઈક્વિટીમાં ઓછું રોકાણ કરનારા ડેટ મ્યુચ્યુઅલ ફંડને લોંગ ટર્મ ટેક્સ બેનિફિટ નહીં આપવાનો પ્રસ્તાવ આવી ગયો છે. હવે એવા ડેટ ફંડ જે ઈક્વિટીમાં પોતાની સંપત્તિનું 35 ટકાથી ઓછું રોકાણ કરે છે તેમને લોંગ ટર્મ ટેક્સ બેનિફિટથી વંચિત કરવામાં આવી શકે છે. તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. આવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના રોકાણકારો જે પોતાની સંપત્તિના 35 ટકા ઈક્વિટી શેરોમાં રોકાણ કરે છે તેમના પર તેમના સ્લેબ મુજબ ટેક્સ લાગશે.

આ પણ વાંચો : આ રહ્યો કપાતા ટેક્સને બચાવવાનો ઉત્તમ વિકલ્પ…..

10. NSE પર લેવડદેવડ ફીમાં 6 ટકાનો વધારો પાછો ખેંચાશે

NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જે 1 એપ્રિલથી કેશ ઈક્વિટી અને ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં લેવડદેવડ ફીમાં કરેલો 6 ટકાનો વધારો પાછો લેવાનો નિર્ણય કર્યો છે. વધારાની ફી એક જાન્યુઆરી 2021ના રોજ પ્રભાવિત થઈ હતી. તે સમયે બજારની કેટલીક જરૂરિયાતોને જોતા NSE ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (IPFT) કોર્પ્સને આંશિક રીતે વધારવા માટે લગાવવામાં આવ્યો હતો. NSE એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે તેમના નિદેશક મંડળે ગત ગુરુવારે પોતાની બેઠકમાં લેવડદેવડ ફીમાં 6 ટકાની વૃદ્ધિને પાછી ખેંચવાનો નિર્ણય લીધો.

11. ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશન જરૂરી

ડીમેટ ખાતાઓ મુદ્દે નોમિનીની અંતિમ તારીખ 31 તારીખ 2023 છે. જો તમે આ ડેડલાઈન સુધીમાં નોમિનેશન ન કર્યું તો 1 એપ્રિલથી ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સ ડેબિટ માટે ફ્રિઝ થઈ જશે. સેબીના નિયમ મુજબ જે લોકો પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ છે તેમણે 31 માર્ચ 2023 સુધીમાં નોમિનીનું નામ દાખલ કરવું જરૂરી છે જેથી ડીમેટ એકાઉન્ટ્સ ડેબિટ માટે ફ્રિઝ ન થાય.

Back to top button