ટ્રેન્ડિંગનેશનલ

‘કોઈ ટિપ્પણી ના કરે તો સારું’, BSP ચીફ માયાવતીનો અખિલેશ યાદવ પર પલટવાર

  • BSP સુપ્રીમો માયાવતીએ તેમના જ ભત્રીજાને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવ્યા
  • હવે રમત બસપાના હાથમાંથી નીકળી ગઈ છે.: અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશ, 8 મે: BSPમાં રાજકીય ફેરબદલને લઈને માયાવતીએ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે બીએસપી સંગઠનમાં શું શું ચાલી રહ્યું છે તેના પર આત્યાંતિક દલિત વિરોધી સપા જો કોઈ ટિપ્પણી અને ચિંતા ના કરે તો સારું રહેશે. તેના બદલે સપા નેતૃત્વ, તેમના પોતાના પરિવારો અને તેમના યાદવ સમાજના ઉમેદવારો જે ચૂંટણીમાં ઉતર્યા છે તેમના શું હાલ છે, બસ એની ચિંતા કરો કારણ કે એ બધાની હાલત ખરાબ છે.

વાસ્તવમાં, BSP સુપ્રીમો માયાવતીએ મંગળવારે તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામીની જવાબદારીમાંથી હટાવી દીધા છે. આ અંગે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે બસપા એક પણ સીટ જીતી શકી નથી, તેથી જ તેમની ટોચની નેતાગીરી સંગઠનમાં આટલો મોટો ફેરફાર કરી રહી છે. અખિલેશે કહ્યું કે હવે રમત બસપાના હાથમાંથી નીકળી ગઈ છે.

 

જેને લઈને માયાવતીએ હવે વળતો પ્રહાર કર્યો છે અને અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે. માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પછી એક અનેક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, “સપાની ચાલ, ચરિત્ર અને ચહેરો, હંમેશની જેમ, એક એવી પાર્ટીની છે જે દલિતો, અત્યંત પછાત લોકોના અધિકારો અને તેમને બંધારણમાં આપવામાં આવેલી અનામત વગેરેનો સખત વિરોધ કરે છે. આ અંગે પ્રમોશન અને સંસદમાં કાગળ ફાડવો વગેરે તેમના આવા કાર્યો છે જેને માફ કરવી મુશ્કેલ છે.

માયાવતીએ વધુમાં કહ્યું હતું કે, “જાતિવાદી વિચારસરણીના કારણે બહુજન સમુદાયમાં જન્મેલા મહાન સંતો, ગુરુઓ અને મહાપુરુષોના નામ પર બસપા સરકાર દ્વારા બનાવવામાં આવેલા જિલ્લાઓ, ઉદ્યાનો, યુનિવર્સિટીઓ વગેરેના નામ બદલવાનું આ પ્રકારનું કૃત્ય છે. સપા સરકારના કાળા કારનામા તરીકે ઇતિહાસમાં નોંધાયેલ છે.

આકાશ આનંદને માયાવતીએ કેમ હટાવ્યા?

ત્રીજા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના અનુગામી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી તેમના ભત્રીજા આકાશ આનંદ પાસેથી પરત લઈ લીધી છે. માયાવતીએ કહ્યું કે આકાશ હજુ સંપૂર્ણ પરિપક્વ થયો નથી. બસપા સુપ્રીમોના આ પગલાને લઈને યુપીના રાજકારણમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આકાશ જે રીતે આક્રમક રીતે પ્રચાર કરી રહ્યો હતો અને રેલીઓમાં ભાગ લેતો હતો તે વરિષ્ઠ નેતૃત્વને પસંદ ન હતું, તેથી જ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સેમ‌ પિત્રોડાએ ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખપદેથી આપ્યું રાજીનામું

Back to top button