ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્‍લામાં 90,786 વિદ્યાર્થીઓ ધો.10અને 12 ની બોર્ડની આપશે પરીક્ષા

Text To Speech
  • તા. 14 મી માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
  • નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક

પાલનપુર : આગામી તા.14 મી માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં યોજાય તેમજ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર બ નાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્‍લામાંથી ધોરણ-10 અને 12ના કુલ- 90,786 વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લામાં 100 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેના સુદ્રઢ આયોજન માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યાના અધ્‍યક્ષસ્‍થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.


જેમાં અધિક નિવાસી કલેકટર આર.એન.પંડ્યાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ સહજ અને તણાવમુક્ત વાતાવરણમાં યોજાય તેવો માહોલ ઉભો કરીએ જેનાથી વિદ્યાર્થીઓ શાંત ચિત્તે સારી રીતે પરીક્ષા આપી શકે. તેમણે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી સુચારૂ રીતે થાય તેની કાળજી રાખીએ.

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા.નરેન્દ્રસિંહ ચાવડાએ પરીક્ષા માટે કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે બનાસકાંઠા જિલ્લામાં ધો.10ના 50930 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 34430 અને વિજ્ઞાન પ્રવાહના 5426 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોમાં સી.સી.ટી.વી કેમેરા તથા ટેબ્‍લેટ ગોઠવવામાં આવ્યા છે. પરીક્ષા સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવા સમયસર બસ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરીક્ષાના સ્થળોની અંદર બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને સંવેદનશીલ પરીક્ષા કેન્‍દ્રોની ખાસ કાળજી લેવાશે. આ બેઠકમાં વિવિધ મંડળના પ્રમુખ સહિત અધિકારીઓ અને પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર : ધી ડીસા ટેક્ષબાર એસોસિએશન દ્વારા એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો

Back to top button