ટ્રેન્ડિંગમનોરંજન

15 વર્ષથી ચાલતો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થશે ઑફ એર?, શું કહ્યું પ્રોડ્યુસરે?

Text To Speech
  • ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો 2009માં સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ કરાયો હતો. શરૂ થતા જ દર્શકોનો ફવરિટ બની ગયો અને TRP લિસ્ટમાં નંબર વન પર જગ્યા બનાવી લીધી

13 એપ્રિલ, મુંબઈઃ ટીવી પર રોજ નવી નવી સીરિયલ શરૂ થાય છે, પરંતુ જલ્દી બંધ પણ થઈ જતી હોય છે, તો કેટલાક શો વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કરતા રહે છે. આ શોઝમાં એક શો છે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’. આ શો 2009માં સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ કરાયો હતો. શરૂ થતા જ દર્શકોનો ફવરિટ બની ગયો અને TRP લિસ્ટમાં નંબર વન પર જગ્યા બનાવી લીધી. 15 વર્ષોથી સતત આ શોને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ હવે આ શો ઑફ એર થવાના સમાચાર છે, જાણો પ્રોડ્યુસર તે વિશે શું કહે છે?

15 વર્ષથી ચાલતો શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' થશે ઑફ એર?, શું કહ્યું પ્રોડ્યુસરે? Hum dekhenge news

બંધ થશે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

છેલ્લા થોડા દિવસોથી સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના ઑફ એર થવાના સમાચાર આવી રહ્યા છે. હવે શોના પ્રોડ્યુસર રંજન શાહી કહ્યું કે આ શો મારા માટે એક બાળક જેવો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શોએ ટોપ ફાઈવમાં જગ્યા બનાવી હતી. આ દરમિયાન અમે ઘણા ચડાવ-ઉતાર પણ જોયા. ઘણી વખત એવું પણ થયું કે શોની ટીઆરપી ડાઉન થઈ ગઈ, જેના માટે અમને ટ્રોલ પણ કરવામાં આવ્યા. અમને હાલમાં પ્રોગ્રામિંગ ટીમ તરફથી શો બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે, પરંતુ દર વખતે કંઈક નવું થાય છે. જ્યારે અમને શો ઑફ એર કરવાની નોટિસ મળી ત્યારે તેની ટીઆરપી અચાનક વધી ગઈ. લાગે છે કે દર્શકો આ શોને ક્યારેય બંધ થવા દેવા ઈચ્છતા નથી.

અનેક સેલિબ્રિટીઝને આપી ઓળખ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો એ વર્ષોથી માત્ર દર્શકોનું મનોરંજન તો કર્યું છે, પરંતુ અનેક સ્ટાર્સને નવી ઓળખ પણ આપી છે. શોએ હિના ખાન, કરણ મેહરા, શિવાંગી જોશી, પ્રણાલી રાઠોડ જેવા અનેક સ્ટાર્સને લોકપ્રિય બનાવ્યા છે. આ શો બાદ પણ આ તમામ સ્ટાર્સની કરિયરને ઉડાન મળી અને તેઓ કરિયરમાં ખૂબ આગળ વધી રહ્યા છે. પ્રોડ્યુસરે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી દર્શકો આ શો સાથે જોડાયેલા રહેશે, ત્યાં સુધી આ શો ચાલતો રહેશે.

આ પણ વાંચોઃ શાકભાજી વેચવાની નૌટંકી પણ આ દિવસોમાં કરવી પડે, ગેહલોતના પુત્રવધૂએ આ રીતે કર્યો પ્રચાર

Back to top button