ટ્રેન્ડિંગમનોરંજન

રણવીર સિંહની નવી ફિલ્મ આદિત્ય ધર સાથે, પાંચ દિગ્ગજો સાથે કરશે કામ

  • રણવીરની આગામી ફિલ્મોને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ‘ડોન 3’, ‘સિંઘમ અગેન’ અને ‘તખ્ત’ જેવી ફિલ્મોની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે

27 જુલાઈ, મુંબઈઃ બોલિવૂડનો મોસ્ટ એનર્જેટિક સ્ટાર રણવીર સિંહ પોતાના અલગ અંદાજથી લોકોને દિવાના બનાવે છે. વર્ષ 2023માં રીલીઝ થયેલી તેની છેલ્લી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. ત્યારથી તેણે તેના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

તેની આગામી ફિલ્મોને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ‘ડોન 3’, ‘સિંઘમ અગેન’ અને ‘તખ્ત’ જેવી ફિલ્મોની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે તેણે બીજી નવી ફિલ્મની જાહેરાત કરી છે. રણવીર સિંહે તેની આગામી ફિલ્મ માટે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના ડિરેક્ટર આદિત્ય ધર સાથે હાથ મિલાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

ઈન્સ્ટાગ્રામ પર કરી નવી ફિલ્મની જાહેરાત

27 જુલાઈ શનિવારના રોજ રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આદિત્ય ધર સાથેની તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. હાલમાં આ ફિલ્મનું ટાઈટલ ફાઈનલ નથી, પરંતુ સ્ટારકાસ્ટની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતાએ એક બ્લેક એન્ડ વ્હાઈટ કોલાજ ફોટો શેર કર્યો છે જેમાં આ ફિલ્મની સ્ટાર કાસ્ટની ઝલક જોવા મળે છે. તેમાં સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને આદિત્ય ધર જોવા મળી રહ્યા છે.

સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે આ મારા ફેન્સ માટે છે, જેઓ ખૂબ જ ધીરજ પૂર્વક મારી સાથે રહ્યા છે અને મારા કામમાં આ પ્રકારના પરિવર્તનની માંગ કરી રહ્યા છે. હું તમને બધાને પ્રેમ કરું છું અને તમને પ્રોમિસ કરું છું કે આ વખતે તમને એવો સિનેમાનો અનુભવ કરાવીશ જે તમે કદી કર્યો નહીં હોય. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદથી અમે એક્સાઈટમેન્ટ અને એનર્જી તેમજ વિશ્વાસ સાથે આ મોટી ફિલ્મ પર કામ શરૂ કરી રહ્યા છે. આ વખતે આ પર્સનલ છે.

ફેન્સ થયા એક્સાઈટેડ

રણવીરની આ જાહેરાત બાદ ફેન્સની ખુશીની કોઈ સીમા નથી. બી-ટાઉનના સેલેબ્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અર્જુન કપૂરે રણવીરની પોસ્ટ પર લખ્યું છે. જે બાત!, યામી ગૌતમ અને ઝોયા અખ્તરે હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી. તો આ ફિલ્મની સ્ટારકાસ્ટને જોઈને ચાહકો પણ ખુબ ખુશ થઈ ગયા છે. રણવીર સિંહ સાથે માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલને એક જ ફ્રેમમાં જોવું એ ચાહકો માટે ચોક્કસ એક ટ્રીટ બની રહેશે.

આ પણ વાંચોઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ ગોલીના પાત્રમાં 16 વર્ષે પરિવર્તનઃ જાણો કોણ આવ્યું તેના સ્થાને?

Back to top button