ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રાહુલ-પ્રિયંકાનું ટોર્ચર થઈ રહ્યું છે, બંને પોતાની જિંદગીથી પરેશાન: કંગના રનૌતનો પ્રહાર

  • કંગના રનૌતે કોંગ્રેસ પાર્ટી અને તેના મોટા નેતાઓ વિશે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા

નવી દિલ્હી, 4 એપ્રિલ: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે રાજકીય મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં તેણીએ પોતાના વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટી અને તેના મોટા નેતાઓ વિશે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કંગનાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. કંગના રનૌતે અંગત પ્રહારો કરતાં કહ્યું હતું કે, “રાહુલ-પ્રિયંકા ગાંધી પર ટોર્ચર કરવામાં રહ્યું છે, બંને પોતપોતાની જિંદગીથી પરેશાન છે.”

ઇન્દિરા, રાહુલ, પ્રિયંકા ગાંધી વિશે કંગના રનૌતે શું કહ્યું ?

1. રાહુલ ગાંધી:રાહુલ ગાંધી મને તેમના સંજોગોનો શિકાર લાગે છે. મને નથી લાગતું કે તેઓ એટલા અસફળ છે જેટલા તેમને બનાવવામાં આવ્યા છે. બાળકો પોતે જ પરિવારવાદનો શિકાર બને છે. મને લાગે છે કે તે રાહુલ ગાંધી એક શિકાર છે. તે કંઈક બીજું કરી શક્યા હોત, કદાચ તેમણે અભિનય કરવો રસ હોય. તે અભિનેતા બની શકે છે. તેમની માતા વિશ્વની સૌથી ધનિક મહિલા છે, તેમની પાસે પૈસાની કોઈ કમી નથી. સાંભળ્યું છે કે, તે કોઈને પ્રેમ કરે છું. ,તેમના પણ લગ્ન નથી થયા,અમે અફવાઓ સાંભળી છે. મને ખબર નથી કે તે શા માટે પરણ્યા નથી અને ઘર વસાવ્યું  નથી,તેમની કારકિર્દી કેમ નથી બની રહી.રાહુલ ગાંધીને કોઈપણ તબક્કે સજા થવી જોઈએ નહીં. તેમને સફળતા મળી રહી નથી. મને તે ખૂબ જ એકલા લાગે છે. મને લાગે છે કે, આ કરવા માટે તેના પર ઘણું દબાણ કરવામાં આવે છે, પછી ભલે તે ઇચ્છે કે ન કરે. તે હવે 60 વર્ષના થવાના છે, તેમ છતાં તેમને વારંવાર યંગ કહીને લોન્ચ કરવામાં આવે છે. મેં આવા બાળકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જોયા છે. જેમના માતા-પિતા તેમની પાછળ હોય છે, તેઓએ તેમની જીંદગી નરક બનાવી દીધી હોય છે, તેમને ગમે તે કરવું પડે છે. હવે એ બાળકો સાવ બરબાદ થઈ ગયા છે. તેમની(રાહુલ ગાંધી) સ્થિતિ પણ એવી જ છે. રાહુલ ગાંધીએ કંઈક બીજું કરવું જોઈએ તેમ હતું, તેઓ સફળ થઈ શક્યા હોત. તેમની માતા આ સમજી શક્યા નથી.”

2. પ્રિયંકા ગાંધી: “હું રાહુલ અને પ્રિયંકા ગાંધી બંનેને પસંદ કરું છું, હું બંનેને તેમના સંજોગોને કારણે પસંદ કરું છું. મને લાગે છે કે તેમની માતાએ બંનેને આ રીતે ત્રાસ આપવો જોઈએ નહીં. મને લાગે છે કે, તેઓ સારા બાળકો છે. હા, તેમને સુખી જીવન જીવવા દેવું જોઈએ. બંને પરેશાન લાગે છે. એવું લાગે છે કે બંને તેમના જીવનથી ખૂબ જ પરેશાન છે. હજુ પણ સમય છે, તેમની માતા તેમને સારી રીતે માર્ગદર્શન આપે.”

3. ઈન્દિરા ગાંધી: “મને મહિલાઓ માટે આદર છે. મેં સમાનતાની ભાવના સાથે ઈન્દિરા ગાંધીના જીવન ચરિત્ર પર સંપૂર્ણ ફિલ્મ બનાવી છે. તે ફિલ્મ કોંગ્રેસ અને ભાજપમાંથી ઉભરી આવી છે. મેં પંચાત કરવા માટે કોઈ ફિલ્મ નથી બનાવી. આપણા બંધારણ સાથે થયેલી ઇમરજન્સીની ઘટના અને તેનું કારણ શું છે તેના પર ફિલ્મ બનાવી છે. અમે આ ફિલ્મ એટલા માટે બનાવી છે કે ભવિષ્યમાં બંધારણ સાથે કોઈ રમત ન કરી શકે.”

આ પણ જુઓ: રાહુલ ગાંધી કેટલું કમાય છે? ક્યાં-ક્યાં મૂડીરોકાણ કર્યું છે?

Back to top button