ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના સારણમાં ચૂંટણી બાદ ભડકી હિંસા: બે પક્ષો વચ્ચેના ગોળીબારમાં 1નું મૃત્યુ અને 2 ઘાયલ

  • સારણ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ઉમેદવાર છે

સારણ, 21 મે: બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા ભડકી હતી. જેમાં બંને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે ઘાયલ થયા છે. સોમવારે સાંજે મતદાન કેન્દ્ર પર થયેલા વિવાદને કારણે આ ઘટના બની હતી. આજે સવારે એક પક્ષે બીજા પક્ષના વ્યક્તિને ગોળી મારી હતી. ઘાયલોને પટના રીફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહી છે. રોહિણી છપરામાં એક બૂથ પર પહોંચી ત્યારે વિવાદ થયો હતો. આ વિવાદ બૂથ નંબર 318 અને 319 પર થયો હતો.

 

મતદાન દરમિયાન થયો હતો વિવાદ 

હકીકતમાં, છપરામાં ચૂંટણીના વિવાદને લઈને બે જૂથો વચ્ચે થયેલી ગોળીબારમાં એક યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની ગંભીર હાલતને જોતા તેમને PMCHમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના આજે મંગળવારે સવારે બની હતી. મૃતકની ઓળખ ચંદન રાય તરીકે થઈ છે, જ્યારે ઘાયલોની ઓળખ ગુડ્ડુ રાય અને મનોજ રાય તરીકે થઈ છે. આ ઘટના મુફાસિલ પોલીસ સ્ટેશનના તેલપા ભિખારી ચોક પાસે બની હતી. મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ગોળી વાગ્યા બાદ તેઓ સદર હોસ્પિટલ પહોંચ્યા કે તરત જ હોસ્પિટલમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગ પાછળનું કારણ ચૂંટણી વિવાદ હોવાનું કહેવાય છે.

ઘટના વિશે મળતી માહિતી મુજબ, સોમવારે વોટિંગ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. RJDના ઉમેદવાર રોહિણી આચાર્ય મતદાન કેન્દ્ર પર પહોંચ્યા બાદ બીજેપી અને આરજેડી કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને તેમની વચ્ચે ભીડ થઈ ગઈ. એક તરફ રોહિણી આચાર્યે મોરચો સંભાળ્યો તો બીજી તરફ ભાજપ તરફથી રમાકાંતસિંહ સોલંકીએ આગેવાની લીધી. આ પછી આરજેડી કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી અને પથ્થરમારો થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આમ છતાં તણાવની સ્થિતિ યથાવત રહી હતી. આજે મંગળવારે ફરી બંને જૂથો સામસામે આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા છે, જ્યારે એક યુવકનું મૃત્યુ થયું છે.

પોલીસ પર બેદરકારીનો આરોપ

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, પરસ્પર તણાવ અને પથ્થરમારો બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસની ગતિવિધિ ઓછી રહી હતી. મોડી સાંજે પોલીસ પેટ્રોલીંગ બાદ શાંત થઇ હતી.

આ પણ જુઓ: સ્વાતિ માલિવાલનો AAP મંત્રીઓ પર ગંભીર આરોપ, કહ્યું: બધા જૂઠાણા માટે કોર્ટમાં લઈ જઈશ

Back to top button