

નેવીનું મિગ-29 ‘કે’ ફાઈટર જેટ ગોવા નજીક દરિયામાં ક્રેશ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાઈલટ બચી ગયો છે. દુર્ઘટના પહેલા પાયલોટે પરિસ્થિતિ જોઈને વિમાનમાંથી બહાર નીકળીને સમુદ્રમાં કૂદી પડ્યો હતો જેના પગલે તેનો જીવ બચી ગયો.
A MiG 29K fighter aircraft crashed over sea on a routine sortie off Goa coast after it developed a technical malfunction while returning to base. Pilot ejected safely & was recovered in a swift search & rescue operation. Pilot is reported to be in a stable condition: Indian Navy pic.twitter.com/CDyC1wBUHI
— ANI (@ANI) October 12, 2022
નેવીએ પાછળથી શોધ અને બચાવ અભિયાન દ્વારા પાયલટને બચાવ્યો હતો. હાલ પાયલોટની હાલત સ્થિર છે. બોર્ડ ઓફ ઈન્કવાયરી (BoI)ને મિગ-29 ‘K’ ફાઈટર જેટના ક્રેશ થવા પાછળના કારણો શોધવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન બેઝ પર પાછા ફરતી વખતે ટેક્નિકલ ખામીના કારણે મિગ-29કે ફાઈટર પ્લેન સમુદ્રમાં ક્રેશ થયું હતું.

વર્ષ 2021માં મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું
ડિસેમ્બર 2021માં રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. તે દરમિયાન ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું કે આ ઘટના સાંજની ફ્લાઇટ દરમિયાન બની હતી જેમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : ભાજપને નકારવા બદલ સૌરવ ગાંગુલીને મળી સજા ? અમિત શાહના નામે TMCએ લીધો ઉધડો