ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની એકાએક તબિયત લથડી

Text To Speech

મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડતા તેને સારવાર્ અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.

જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી

મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે.ગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ જોઈ રહેલા જયસુખ પટેલને એકા એક છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જયસુખ પટેલને મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે ન્યૂરો સર્જનને બતાવવા માટેની સલાહ આપી છે.

જયસુખ પટેલ જેલમાં-humdekhengenews

જેલમાં બંધ જયસુખ પટેલની જામીન માટે સતત અરજીઓ

ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલ સહિત 9 આરોપીઓ જેલમાં બંધ છે. જેમાં એક પણ આરોપીને જામીન મળ્યા નથી. જેલમાં બંધ જયસુખ પટેલ જામીન માટે સતત અરજીઓ કરી પણ કરી રહ્યો છે. ગઈકાલે જ મોરબી કોર્ટમાં તેઓના જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને આ અંગે કોર્ટે આગામી સુનાવણી માટે 15 એપ્રિલની નવી તારીખ આપી હતી. ત્યારે જામીન અરજી પર કોર્ટના ઓર્ડર પહેલાં જયસુખ પટેલની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો  : ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસોને લઇ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button