ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મમતા બેનરજીએ આપ્યું વચનઃ CAA રદ કરીશ, UCC આવવા નહીં દઉં

  • મમતા બેનર્જીની પાટી TMCએ જાહેર કર્યો ચૂંટણી મેનિફેસ્ટો
  • બંગાળમાં CCA રદ તેમજ UCC લાગુ ન થવા દેવાના આપ્યા વચન

બંગાળ, 17 એપ્રિલ: મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ટીએમસીએ તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે, તો તે CCA (નાગરિકતા સુધારો કાયદો) રદ કરશે. આ સાથે જ NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની પ્રક્રિયા પણ બંધ થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે.

TMCએ આપ્યા 10 વચનો

ટીએમસીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે મમતા બેનર્જીએ દેશની જનતાને 10 વચનો આપ્યા છે. અમારું વલણ એ છે કે બંગાળમાં CAA લાગુ કરવામાં આવશે નહીં, NRC અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને પણ લાગૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો તૃણમૂલ ઈન્ડી ગઠબંધન કેન્દ્રમાં સરકાર બનાવશે તો આ વચનો પૂરા થશે. ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે જો મમતા દીદીના સમર્થનથી કેન્દ્રમાં ઈન્ડી ગઠબંધનની સરકાર બનશે તો મનરેગા હેઠળ માનદ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવશે. દરેક માટે કાયમી મકાનો બનાવવામાં આવશે.

 

TMCના મેનિફેસ્ટો અનુસાર, જો કેન્દ્રમાં ઈન્ડી ગઠબંધનની સરકાર બનશે, તો તમામ BPL પરિવારોને એક વર્ષમાં 10 મફત સિલિન્ડર મળશે. રાષ્ટ્રીય સ્તરે રાશન યોજના અમલમાં મૂકશે અને દરેક રેશનકાર્ડ ધારકને તેમના નિવાસ સ્થાને 5 કિલો મફત રાશન પહોંચાડવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને દર મહિને 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. લક્ષ્મી ભંડાર યોજના રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત મહિલાઓને એક નિશ્ચિત માસિક રકમ આપવામાં આવશે. તમામ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ આપશે.

ટીએમસીના ઢંઢેરામાં કરવામાં આવેલા અન્ય વચનો

  • 25 વર્ષ સુધીના તમામ સ્નાતક અને ડિપ્લોમા ધરાવતા યુવાનોને માસિક સ્ટાઈપેન્ડ સાથે 1 વર્ષની એપ્રેન્ટિસશીપ (કોઈપણ ક્ષેત્રમાં તાલીમ) આપવામાં આવશે.
  • ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીનું સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
  • ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ ત્રણ ગણી કરવામાં આવશે.
  • પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ એટલી મર્યાદામાં નક્કી કરવામાં આવશે કે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભાવની વધઘટને રોકવા માટે ‘પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ’ની સ્થાપના કરવામાં આવશે.
  • સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ, ભારતના ખેડૂતોને MSP ની કાનૂની ગેરંટી આપવામાં આવશે, જે તમામ પાકોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ હશે.
  • મનરેગા હેઠળ, તમામ જોબ કાર્ડ ધારકોને 100 દિવસનું કામ આપવામાં આવશે અને તમામ કામદારોને દરરોજનું લઘુત્તમ વેતન ₹400 મળશે.
  • દેશભરના દરેક ગરીબ પરિવારને પ્રતિષ્ઠિત આવાસ સુનિશ્ચિત કરવામાં આવશે, જેનાથી બધા માટે કાયમી અને સલામત મકાનો સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો: પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ, જાણો કેટલા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન?

Back to top button