નેશનલ

મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમાયુ, ભાજપ – શિંદેની નજીક આવે છે મ.ન.સે

Text To Speech

મહારાષ્ટ્રમાં બદલાતા રાજકીય સમીકરણો સાથે, રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની નિકટતા ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના જૂથ તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્રણેય પક્ષોના નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને સમર્થન આપતા જોવા મળ્યા છે. મહત્વનું છે કે, મુંબઈ નાગરિક ચૂંટણી પહેલા ત્રણેય નેતાઓની નિકટતાને એક મોટી વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ ઉદ્ધવ જૂથની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડીને ટક્કર આપવા માટે ભાજપ પણ મનસેને નજીક લાવવા માંગે છે. કેટલાક પ્રસંગો એવા પણ હતા જ્યારે ત્રણેય નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા.

દિવાળીના પર્વ પર ત્રણેય નેતાઓની બેઠક

ઉલ્લેખનીય છે કે, દિવાળીની પૂર્વ સંધ્યાએ સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેની પાર્ટી MNSના દીપોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારબાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ હતી. ત્રણેય MNS પ્રમુખના નિવાસસ્થાનથી શિવાજી પાર્ક ખાતેના સ્થળ સુધી એકસાથે ગયા હતા.

રાજ ઠાકરેના પત્ર બાદ ભાજપે ઉમેદવાર પરત ખેંચ્યો

વધુમાં જાણવા મળ્યા મુજબ રાજ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને શિવસેનાના દિવંગત ધારાસભ્ય રમેશ લટકેની પત્નીની તરફેણમાં અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણીમાંથી ભાજપના ઉમેદવારને પાછા ખેંચવા વિનંતી કરી હતી. ભાજપે પાછળથી પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો, જેના માટે રાજ ઠાકરેએ ફડણવીસનો આભાર માન્યો.

રાજ ઠાકરેએ ફડણવીસને વફાદાર ગણાવતો પત્ર લખ્યો હતો

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ ભાજપ અને શિંદે જૂથના નેતાઓ અલગ-અલગ પ્રસંગોએ રાજ ઠાકરેને મળ્યા હતા. શિંદે અને ફડણવીસે એમએનએસ વડા સાથે અલગ-અલગ બેઠકો પણ કરી હતી. રાજ ઠાકરેએ ફડણવીસને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળીને તેમની પાર્ટી પ્રત્યે વફાદારી અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ સ્થાપિત કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

Back to top button