ટોપ ન્યૂઝધર્મનેશનલ

વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કપાટ ખૂલ્યાં, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હાજર રહ્યા

Text To Speech

કેદાર બાબાની ઉત્સવ ડોલી ગુરુવારે સાંજે ગૌરીકુંડથી કેદારનાથ પહોંચી હતી. ત્યારે આજે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ દાદાના મંદિરના કપાટ ખૂલ્યાં છે. આ સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે.

2 મેના રોજ ઉખીમઠના પંચકેદાર ગદ્દીસ્થલ ઓમકારેશ્વર મંદિરથી ભગવાન કેદારની ડોળી કેદારપુરી જવા નીકળી હતી. ગુરુવારે સવારે ગૌરીકુંડથી કેદારનાથ ધામ જવા રવાના થયા. ઉત્સવ ડોળી યાત્રામાં સેંકડો ભક્તો પણ સાથે હતા. રસ્તામાં અનેક જગ્યાએ ગ્લેશિયર કાપીને રસ્તો બનાવવામાં આવ્યો છે. ધામમાં વાતાવરણ ખૂબ ઠંડુ રહે છે. પરંતુ ભક્તો દરવાજા ખોલવાની ક્ષણના સાક્ષી બનવા માટે અત્યંત ઉત્સુક હોય છે.

ડોલીના કેદારનાથ પહોંચવાના પ્રસંગે બદરી કેદાર મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજય, કેદારનાથના ધારાસભ્ય શૈલરાણી રાવત, મંદિર સમિતિના સભ્ય શ્રીનિવાસ પોસ્ટી સબ કલેક્ટર ઉખીમઠ જિતેન્દ્ર વર્મા કેદાર સભાના પ્રમુખ વિનોદ શુક્લા, કેદારનાથ ધામના પૂજારી ટી ગંગાધર લિંગા, વરિષ્ઠ વહીવટી અધિકારી રાજકુમાર કુમાર, નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડોલીના પ્રભારી/મંદિર વહીવટી અધિકારી યદુવીર પુષ્પવન પણ હાજર હતા.

Back to top button