ટ્રેન્ડિંગધર્મ

ઘરમાં પોપટ પાળવો શુભ કે અશુભ? શું કહે છે વાસ્તુ?

Text To Speech
  • લોકોનું માનવું છે કે પાલતુ જાનવરોને પાળવાથી ઘરમાં સકારાત્મક માહોલ બને છે, પરંતુ ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે કે ઘરમાં પોપટ પાળવો શુભ કે અશુભ? વાસ્તુમાં પોપટ પાળવાને લઈને  નિયમો જણાવાયા છે

ઘણા લોકો ઘરમાં કૂતરા, બિલાડી, માછલી, સસલા અને પોપટ સિવાયના પશુ-પક્ષીઓ પાળવાનો શોખીન હોય છે. લોકોનું માનવું છે કે પાલતુ જાનવરોને પાળવાથી ઘરમાં સકારાત્મક માહોલ બને છે, પરંતુ ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે કે ઘરમાં પોપટ પાળવો શુભ હોય છે કે અશુભ? વાસ્તુમાં પોપટ પાળવાને લઈને અનેક નિયમો જણાવાયા છે. એવી માન્યતા છે કે વાસ્તુના નિયમ અનુસાર ઘરમાં પોપટ પાળવાથી સુખ-સૌભાગ્ય વધે છે. જાણો ઘરમાં પોપટ પાળવાના વાસ્તુના નિયમો

પોપટ પાળવો શુભ કે અશુભ?

  • વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં પોપટ પાળવો શુભ માનવામાં આવે છે.
  • જો પોપટને પાંજરામાં રાખો છો તો એ વાતનું ધ્યાન રાખો કે તે ખુશ રહે, એવી માન્યતા છે કે પાંજરામાં પોપટ ખુશ ન હોય તો નેગેટિવિટી વધે છે.
  • આ ઉપરાંત ઘરમાં પોપટની તસવીર લગાવવી શુભ હોય છે. તેનાથી કુંડળીના ગ્રહ દોષથી મુક્તિ મળે છે.
  • ઘરમાં પોપટ લાવ્યા પછી તેનો ખાસ ખ્યાલ રાખો. આમ કરવાથી જીવનમાં ખુશી આવે છે અને અત્યંત શુભ ફળ મળે છે.

ઘરમાં પોપટ પાળવો શુભ કે અશુભ? શું કહે છે વાસ્તુ? hum dekhenge news

કઈ પરિસ્થિતિઓમાં પોપટ પાળવો શુભ?

  • એવી માન્યતા છે કે ઘરમાં પોપટ રાખવાથી રાહુ-કેતુ અને શનિના દુષ્પ્રભાવને ઘટાડી શકાય છે.
  • જ્યોતિષ અનુસાર ઘરમાં પોપટ પાળવાથી રાગ-દોષથી પણ છુટકારો મેળવી શકાય છે.
  • પોપટ રાખવાથી બાળકોનું ધ્યાન અભ્યાસમાં લાગે છે.
  • ઘરમાં પોપટ રાખવાથી પતિ-પત્નીના સંબંધો સારા રહે છે.

કઈ પરિસ્થિતિમાં પોપટ રાખવો અશુભ?

  • એવી માન્યતા છે કે જો તમારા ઘરમાં પાળેલો પોપટ ખુશ નથી તો ઘરમાં ગૃહ ક્લેશની સ્થિતિ બને છે. ઘરના સભ્યોને ધન સાથે જોડાયેલી તકલીફોનો સામનો કરવો પડે છે.
  • ઘરમાં લડાઈ-ઝઘડા થાય અને પોપટ તે વાતોને દોહરાવે તો તેને પણ અશુભ સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ શનિ જયંતી પર કરો આ કામ, શનિદેવ થશે પ્રસન્ન

Back to top button