ટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતની પ્રથમ મિડગેટ સબમરીન Arowana, જેનો ઉપયોગ કમાન્ડો ઓપરેશનમાં કરાશે

  • દેશની પ્રથમ મિડગેટ સબમરિન Arowana  મજગાવ ડોક શિપયાર્ડ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવી 
  • સબમરિન અંદાજીત 150ટન જેટલું વજન અને 6 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા
  • આ સબમરિનનો નૌકાદળ દ્વારા કમાન્ડો ઓપરેશન,કોવર્ટ ઓપરેશન માટે,અંડરવોટર મેઈન્ટેન્સ, શોધખોળ માટે, આર્કિયોલોજી, સાયન્ટિફિક રિસર્ચ વગેરેમાં થાય છે ઉપયોગ

HD  ન્યુઝ ડેસ્ક, 15 મે: ભારતની પ્રથમ મિડગેટ સબમરીન બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મજગાવ ડોક શિપયાર્ડ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવી છે. જેનું નામ Arowana રાખવામાં આવ્યું છે. તેની ડીઝાઈન અને બનાવટ બંને એમડીએલ દ્વારા કરાઈ છે. આ સબમરીનને પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે જેથી વિશ્વને ખ્યાલ આવે કે ભારત પણ આ પ્રકારની સબમરીન જાતે બનાવી શકે છે. જેનો ફાયદો માત્ર સમુદ્રી તપાસમાં જ નહીં પણ સાઈલન્ટલી દરિયાની અંદર યુદ્ધ લડવા માટેની ક્ષમતાને પણ વધારે છે. જે અંડરવોટર વોરફેર ટેક્નોલોજીનું મજબુત પ્રમાણ છે. આના થકી ઓછા કમાન્ડોની સાથે કોઈ પણ પ્રકારે મિલિટ્રી ઓપરેશન કે ગુપ્ત મિશનને પણ મેનેજ કરી શકાય છે.

Arowana ઊંડા અને છીછરા પાણી એમ બંનેમાં તરી શકે છે. આનાથી ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો અને અન્ય સબમરિનોથી જોડાયેલા નેટવર્કિંગના માધ્યમથી દુશ્મનને માત આપી શકાય છે. આ સાથે જ ઘણા પ્રકારના મિશનને પણ અંજામ આપી શકાય છે. આ સબમરિન એકદમ સ્ટેલ્થ અને એક્ટિવ છે. જોકે, હાલમાં આનાથી વધારે માહિતી શેર નથી કરાઈ. આ સબમરિન વિશે એવું કહેવાય રહ્યું છે કે તેની લંબાઈ લગભગ 12 મીટર છે. તેની ગતિ 2 નોટ જેટલી છે એટલે કે ઓછી સ્પીડ છે. જોકે વર્તમાનમાં તેને એક જ વ્યક્તિ ચલાવી શકે છે. આ સબમરિનની અંદર લિથિયમ આયન બેટરી લાગેલી છે. પ્રેશર હલ સ્ટીલ છે આ સાથે જ સ્ટીયરીંગ કન્સોલ પણ આપાવામાં આવેલું છે.

શું છે ભારતીય નૌકાદળનું પ્લાનિંગ?

ભારતીય નૌકાદળનો પ્રયાસ છે કે તેમને બે મિડગેટ સબમરિન મળે. આના માટે 2000 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે.જેનો ઉપયોગ માર્કોસ કમાન્ડો કરશે.

મિડગેટ સબમરીન વિશે

મિડગેટ સબમરીન સામાન્ય રીતે 150 ટન આસપાસની હોય છે. જેમાં એક, બે અથવા ક્યારેક-ક્યારેક તો 6 લોકો બેસીને કોઈ મિલિટ્રી મિશનને કરી શકે છે. આ નાની સબમરિન હોવાથી કમાન્ડોિ તેમાં બેસીને મિશન પર જઈને પરત પણ આવી શકે તેમ લાંબા સમય સુધી રહેવાની વ્યવસ્થા નથી હોતી.

આ સબમરીન કેવી રીતે કામ કરે છે?

સામાન્ય રીતે આ સબમરિનનો ઉપયોગ કોવર્ટ ઓપરેશન માટે કરવામાં આવતો હોય છે. તે કોઈ પણ ડેમના પેનિટ્રેશનમાં કામ આવે છે. ઓછા સમયમાં ઝડપથી મિશન પુરુ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી દુશ્મનને તેના આવવાની જાણ સરળતાથી ન થઈ શકે.

સબમરિનમાં રહેલા હથિયારો વિશે

 સામાન્ય રીતે મિડગેટ સબમરિનમાં ટોરપીડો અને દરિયાઈ બારુદી સુરંગો હથિયાર તરીકે હોય છે. આ સિવાય ઘણી વાર તેમાં ડાઈવર્સ માટે સ્વિમર ડિલિવરી વ્હીકલ હોય છે. જેતી સબમરિનને નુકશાન થાય તો તેની અંદર રહેલા કમાન્ડો આ વ્હીકલના સહારે મિશન એરિયામાંથી કુશળ રીતે બહાર આવી શકે.

સામાન્ય નાગરિકોનો ઉપયોગમાં પણ આવે છે સબમરિન

 મિડગેટ સબમરિનોનો ઉપયોગ માત્ર મિલિટ્રીમાં જ નથી કરવામાં આવતો, આ સિવાય તેનો વ્યવસાયિક ઉપયોગ માટે પણ થાય છે. જેમકે અંડરવોટર મેઈન્ટેન્સ, શોધખોળ માટે, આર્કિયોલોજી, સાયન્ટિફિક રિસર્ચ વગેરેમાં થાય છે. હવે તો સબમરિનનો ઉપયોગ દરિયાની અંદર પર્યટન માટે પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ભારતીય નૌકાદળે બતાવી તાકાત, ઈરાની જહાજ અને 23 પાકિસ્તાનીઓને ચાંચિયાઓથી બચાવ્યા

Back to top button