ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

સંબંધોમાં પડી રહ્યું હોય અંતર તો આ રીતે કરો તેની ઓળખ

Text To Speech
  • સંબંધોમાં નાની મોટી તકલીફો થતી રહેતી હોય છે, નાના નાના ઝઘડા સામાન્ય ગણાય છે, પરંતુ જો તમે તેનાથી આગળ વધીને કંઈ અનુભવ કરી રહ્યા હો તો સતર્ક થવાની જરૂર છે

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મહત્ત્વનો હોય છે. આ સંબંધને હંમેશા સારો રાખવા માટે બંને તરફથી પ્રયત્નો જરૂરી છે. સંબંધો જૂના થવા લાગે ત્યારે ક્યારેક તમને તેની હૂંફ ઓછી થતી હોય તેવું અનુભવાય છે. ઘણી વખત નાની-નાની બાબતો સંબંધોને બગાડે છે. જો તમે તમારા જીવનસાથીના વર્તનમાં ફેરફાર અનુભવી રહ્યા હો, તો તે નબળા પડતા સંબંધની નિશાની હોઈ શકે છે. સંબંધોમાં નાની મોટી તકલીફો થતી રહેતી હોય છે, નાના નાના ઝઘડા સામાન્ય ગણાય છે, પરંતુ જો તમે તેનાથી આગળ વધીને કંઈ અનુભવ કરી રહ્યા હો તો સતર્ક થવાની જરૂર છે. જાણો એ સંકેતો વિશે જેના પરથી જાણ થાય છે કે તમારા સંબંધો નબળા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. જો આમ લાગે તો વહેલી તકે ચેતી જાવ

આ 4 સંકેતોને ન કરશો નજરઅંદાજ

સંબંધોમાં પડી રહ્યું હોય અંતર તો આ રીતે કરો તેની ઓળખ hum dekhenge news

કોમ્યુનિકેશનની કમી

પહેલા તમારા બંને વચ્ચે જે વાતચીત થતી હતી તે હવે ઘટી ગઈ છે. મોટાભાગે વાતચીત નાની અને બેમતલબની થઈ ગઈ છે. તમે મહત્ત્વની વાતો કરવાથી બચો છો તમારી વચ્ચે ગેરસમજ અને અણબનાવ વધે છે તો માની લો કે તમારી વચ્ચે કોમ્યુનિકેશનની કમી આવી ગઈ છે.

રુચિમાં કમી

જો તમને હવે એકબીજાના કામ, શોખ કે જીવનમાં પહેલા જેવો રસ નથી. સાથે સમય પસાર કરવાની મજા આવતી નથી. પહેલા કરતાં એકબીજાની પ્રશંસા કે કદર ઓછી થઈ રહી છે. એકબીજા માટે સરપ્રાઈઝ કે સ્પેશિયલ ઈશારા ઓછા થઈ ગયા છે. તો સમજો કે અંતર વધી ગયું છે.

ભાવનાત્મક અંતર

એકબીજાની લાગણીઓને સમજવામાં અથવા તેનો જવાબ આપવામાં મુશ્કેલી થઈ રહી છે. તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં સંકોચ થઈ રહ્યો છે. તમે એકબીજાના દુ:ખ અને સુખમાં પહેલાની જેમ સહભાગી થતા નથી. ભાવનાત્મક રીતે એકબીજા પરનું અંતર ઘટ્યું છે તો સમજો કે એકબીજાથી દૂર થઈ રહ્યા છો.

ભવિષ્યને લઈને અનિશ્ચિતતા

સંબંધના ભવિષ્ય વિશે ચિંતાઓ થતી હોય. એકબીજાની સાથે આગળ વધવાની યોજનાઓ બનાવવામાં ખચકાટ અનુભવાતો હોય, વારંવાર મનમાં શું થશે તેવા સવાલો ઉભા થતા હોય તો પણ ચેતી જજો.

આ પણ વાંચોઃ અસ્તવ્યસ્ત ઘર બગાડી શકે છે મેન્ટલ હેલ્થ, કેમ વ્યવસ્થિત રાખવું જરૂરી?

Back to top button