નેશનલ

રામમંદિરને ઉડાવી દેવાની ધમકી આપનાર ત્રણ PFI સભ્યોની અટકાયત

Text To Speech

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બિહાર પોલીસની મદદથી શનિવારે અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાના કાવતરાના આરોપમાં મોતિહારીમાંથી ત્રણ PFI સભ્યોની અટકાયત કરી હતી. તેમાં રિયાઝ મારૂફનો પણ સમાવેશ થાય છે, જેનું નામ પણ આતંકવાદી ફંડિંગમાં સામેલ છે. આ અંગે ડીજી હેડક્વાર્ટર જીતેન્દ્ર સિંહ ગંગવારે કહ્યું કે, જ્યારે શાલિગ્રામ શિલાને નેપાળથી અયોધ્યા લઈ જવામાં આવી રહી હતી ત્યારે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી અને ષડયંત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કેસમાં NIAએ આ કાર્યવાહી કરી છે.

PFI
PFI

ગયા વર્ષે 350 થી વધુ ધરપકડો

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ગૃહ મંત્રાલયે PFI અને તેની સંલગ્ન સંસ્થાઓ પર આતંકવાદી જૂથો સાથે સંબંધ રાખવા અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. NIAએ ગયા વર્ષે દેશના જુદા જુદા ભાગોમાંથી PFI સાથે સંકળાયેલા 350 લોકોની ધરપકડ કરી છે.

ફાઈલ તસવીર
Back to top button