ટ્રેન્ડિંગમનોરંજન

આમિર ખાન માતાનો 90મો બર્થડે બનાવશે ખાસ, દેશભરમાંથી આવશે 200 સંબંધીઓ!

Text To Speech
  • આમિર ખાન પરિવાર સાથે જોડાયેલો રહેતો હોય છે. તે તેની માતાના 90માં બર્થડેને ખાસ બનાવવાની તૈયારીઓમાં લાગી ગયો છે. આ માટે દેશભરમાં રહેતા તેના સંબંધીઓ પણ મુંબઈ પહોંચશે

12 જૂન, મુંબઈઃ બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન છેલ્લા ઘણા સમયથી તેના પરિવાર સાથે વધુ સમય પસાર કરતો જોવા મળે છે. તે તેની માતાને પણ ખૂબ પ્રેમ કરે છે. હાલમાં તે માતાના 90માં જન્મદિવસને સ્પેશિયલ બનાવવાની યોજનામાં વ્યસ્ત છે. આમિર ખાનની માતા ઝીનત હુસૈનનો 13મી જૂને 90મો જન્મદિવસ છે અને આ ખાસ દિવસને ધામધૂમથી ઉજવવાની તૈયારી આમિરખાન અને તેનો પરિવાર કરી રહ્યા છે.

ખાસ હશે આમિરની માતાનો બર્થડે

13 જૂને આમિરખાનની માતા ઝીનત હુસૈન 90 વર્ષન થશે અને તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે આમિરે તેના પરિવાર અને નજીકના લોકોને ખાસ આમંત્રણ આપ્યું છે. આ પાર્ટી મુંબઈમાં યોજાશે, જેમાં ભારતના વિવિધ સ્થળોએ રહેતા તેમના પરિવાર અને મિત્રો મળીને 200થી વધુ લોકો સામેલ થશે. રિપોર્ટ અનુસાર આ પાર્ટીનું આયોજન આમિર ખાનના મુંબઈના ઘરે કરવામાં આવશે.

આમિર ખાન માતાનો 90મો બર્થડે બનાવશે ખાસ, દેશભરમાંથી આવશે 200 સંબંધીઓ! hum dekhenge news 200 થી વધુ મહેમાનોને સામેલ થશે

આમિર ખાન 13 જૂને તેની માતાનો જન્મદિવસ ઉજવવા માટે દેશના વિવિધ શહેરોમાંથી 200થી વધુ પરિવારના સભ્યોને બોલાવી રહ્યો છે. છેલ્લા એકાદ વર્ષથી ઝીનત હુસૈનની તબિયત ઠીક નથી. હવે જ્યારે તેની તબિયત સુધરી છે, ત્યારે એક મોટા ગેટ ટુ ગેધરની તૈયારીઓ થઈ રહી છે. આ ખાસ દિવસની ઉજવણી માટે, પરિવાર અને મિત્રો ભારતના વિવિધ સ્થળોએથી આવશે અને ઉજવણીનો ભાગ બનશે. આ પ્રસંગે, લોકો બનારસ, બેંગલુરુ, લખનૌ, મૈસૂર અને અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે. આમિર તેની માતાના 90માં જન્મ દિવસને ગ્રાન્ડ સેલિબ્રેશન બનાવી રહ્યો છે.

આમિર ખાન માતાનો 90મો બર્થડે બનાવશે ખાસ, દેશભરમાંથી આવશે 200 સંબંધીઓ! hum dekhenge news

પરિવાર માટે આમિરે કહ્યું હતું કે…

આમિર ખાને 2023માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ફિલ્મોમાં કામ કરવા અને ફિલ્મો પ્રોડ્યુસ કરવા કરતાં પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માંગે છે. ગયા વર્ષે પણ ઝીનત હુસૈનના 89માં જન્મદિવસે આમિર ખાનના પરિવારના ઘણા સભ્યોએ સાથે મળીને તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ પણ વાંચોઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વધુ એક સ્ટાર કપલ, ઐશ્વર્યા અર્જુન બની ઉમાપતિ રમૈયાની દુલ્હન

Back to top button