ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં બંધનું એલાન, જાણો સમગ્ર મામલો

Text To Speech
  • યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા
  • સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો વિવાદિત બન્યો
  • વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવ હટાવોનો મુદ્દો વધુ બુલંદ બન્યો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે શરૂ થયેલા આંદોલન મામલે કથિત આદેશથી 200 વિદ્યાર્થીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો આજે યુનિવર્સિટી બંધનું એલાન આપવાની જાહેરાત થઈ છે.

આ પણ વાંચો: સાપુતારામાં લકઝરી બસનો અકસ્માત, બે લોકોના મૃત્યુ તથા 28 ઘાયલ થયા

સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો વિવાદિત બન્યો

વડોદરાના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું ન પડે એ હતો. પરંતુ રાજ્યભરની યુનિવર્સિટીઓનું એકીકરણ કરવાનો મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કાયદો પસાર થયો છે ત્યારે હવે શહેરના વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો વિવાદિત બન્યો છે. આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ, પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સહિત સેનેટ મેમ્બરો તથા શહેરના અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા.

યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા

દરમિયાન યુનિવર્સિટી પ્રવેશ આંદોલનને ડામવાના ઇરાદે વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરીને આંદોલન ઢીલું પાડવાની નીતિ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે કરી હોવાના આક્ષેપ છે. જેથી યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. પરિણામે આંદોલનકારીઓ વધુ ભડક્યા છે.

વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવ હટાવોનો મુદ્દો વધુ બુલંદ બન્યો

હવે વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવ હટાવોનો મુદ્દો વધુ બુલંદ બન્યો છે. આ મુદ્દે 200 વિદ્યાર્થીઓ સામેના કેસ પણ પાછા ખેંચી લેવા વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, જો આમ નહીં થાય તો યુનિવર્સિટી બંધનું એલાન જાહેર કરાયુ છે.

Back to top button