ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આમ આદમી પાર્ટીની માગણીઃ ED કોર્ટમાં આવીને કહે કે, તેઓ CM કેજરીવાલની ધરપકડ નહીં કરે

  • દિલ્હીના CM કેજરીવાલે હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી
  • EDએ બીજેપીનું રાજકીય હથિયાર છે: AAP નેતા આતિશી
  • મુખ્યમંત્રીએ કોર્ટમાં જવાને બદલે કાયદાનું સન્માન કરવું જોઈએ: ભાજપ

નવી દિલ્હી, 21 માર્ચ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસને લઈને હાઈકોર્ટમાં નવી પિટિશન દાખલ કરી છે. જેમાં અરવિંદ કેજરીવાલ દ્વારા માંગ કરવામાં આવી છે કે તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના હાઈકોર્ટના અભિગમ પર બીજેપીએ પ્રહારો કર્યા છે અને તેમના પર કાયદાનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે. જેના પર દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ કહ્યું કે, જો ED માત્ર તપાસ કરવા માંગે છે તો તેણે કોર્ટમાં ઊભા રહીને કહેવું જોઈએ કે તે કેજરીવાલની ધરપકડ નહીં કરે. EDનો ઉદ્દેશ્ય દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરીને તેમને પ્રચાર કરતા રોકવાનો છે.

 

ED સ્વતંત્ર એજન્સી નથી: AAP નેતા આતિશી

આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, અમે માનીએ છીએ કે ED સ્વતંત્ર એજન્સી નથી, તે કોઈ તપાસ કરવા માંગતી નથી. જો ED માત્ર તપાસ કરવા માંગતી હોય તો તેણે કોર્ટમાં ઊભા રહીને કહેવું જોઈએ કે તે અરવિંદ કેજરીવાલની ધરપકડ નહીં કરે. EDનો હેતુ હંમેશા દિલ્હીના સીએમની ધરપકડ કરવાનો રહ્યો છે. EDનો ઉદ્દેશ્ય કેજરીવાલને પ્રચાર કરતા રોકવાનો છે, EDનો ઉદ્દેશ્ય ભાજપનું રાજકીય હથિયાર બનવાનો છે. જ્યારે મામલો કોર્ટમાં છે તો પછી ED દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વારંવાર સમન્સ કેમ મોકલી રહ્યું છે? આ સમન્સ કાયદેસર છે કે ગેરકાયદેસર છે તે નક્કી કરવા અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. EDએ પણ આ અરજીનો વિરોધ કર્યો છે.

CM કેજરીવાલે ફરી કોર્ટના દરવાજા ખખડાવ્યા

આબકારી નીતિ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત માટે કેજરીવાલ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ પહેલા બુધવારે દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રીને વારંવાર સમન્સ જારી કરવા છતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર ન થવા પર ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેજરીવાલની અરજી પર EDના 21મી માર્ચે જારી કરાયેલા નવમા સમન્સને પડકારતી કોર્ટે તેમના વકીલને પૂછ્યું હતું કે, “જ્યારે તમારા નામ પર સમન્સ છે તો પછી ED સમક્ષ કેમ હાજર થતા નથી? તમને હાજરી ન આપવા માટે કોણ રોકી રહ્યું છે?” કોર્ટે તેમને કોઈ રાહત આપ્યા વિના સુનાવણી 22 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી.

ભાજપ દ્વારા આકરાં પ્રહારો કરવામાં આવ્યા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી આબકારી નીતિ કૌભાંડ કેસમાં EDના નવમા સમન્સ સામે વિરોધ દર્શાવતા કોર્ટમાં ગયા છે. બુધવારે હાઈકોર્ટમાં તેણે ધરપકડનો ડર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તે ઈડી સમક્ષ હાજર નહીં થાય અને ગુરુવારે તેમણે ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અંગે ભાજપે કહ્યું કે, મુખ્યમંત્રી કાયદાનું સન્માન કરતા નથી.

રાજ્યના બીજેપી મંત્રી હરીશ ખુરાનાએ કહ્યું કે, “કેજરીવાલ EDના સમન્સથી બચવા માટે ફરી એકવાર હાઈકોર્ટમાં ગયા છે. ગઈકાલે બુધવારે તેમને હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. આ પહેલા પણ નીચલી કોર્ટે તેમને રાહત આપી ન હતી. તે ઈડી સમક્ષ હાજર થઈ રહ્યા નથી.”

EDથી બચવા માટે દિલ્હીના મુખ્યમંત્રી લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે

બીજેપી મંત્રી હરીશ ખુરાનાએ કહ્યું કે, કાયદા હેઠળ તેમને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ કાયદાનું પાલન કરી રહ્યા નથી. EDથી બચવા માટે તે દિલ્હી સરકારની તિજોરીમાંથી વકીલને લાખો રૂપિયા આપી રહ્યા છે. તે કોર્ટ પાસે રક્ષણની માંગ કરી રહ્યા છે. તેમણે જણાવવું જોઈએ કે, શું તે કાયદાથી ઉપર છે. તે એક સામાન્ય નાગરિકની જેમ કાયદાનું પાલન કેમ નથી કરી રહ્યા?

આ પણ જુઓ: હું બદાયૂંનો જાવેદ છું, મને પોલીસ પાસે લઈ જાઓ: નાટકીય અંદાજમાં વીડિયો ઉતારી આરોપીનું સરેન્ડર!

Back to top button