ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મોંઘવારીમાં મળશે મોટી રાહત; મોદી સરકાર 25 રુપિયાના ભાવે વેચશે ચોખા

  • કેન્દ્ર સરકારે ભારત બ્રાન્ડ હેઠળ ભારત લોટ અને ભારત દાળ વેચી રહી છે. હવે ટૂંક સમયમાં ભારત ચોખા પણ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દિલ્હી, 27 ડિસેમ્બર: મોંઘવારી સામે લડવા માટે સરકારે ભારત બ્રાન્ડ (Bharat Brand)ને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા કેન્દ્ર સરકારે દેશમાં ભારત લોટ (Bharat Atta) અને ભારત દળ (Bharat Dal)ની શરૂઆત કરી. હવે આ ભારત બ્રાન્ડ હેઠળ ભારત ચોખા (Bharat Rice) આવવા જઈ રહ્યા છે. તેની કિંમત 25 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવશે.

ભારત ચોખાનું વેચાણ NAFED, NCCF અને કેન્દ્રીય ભંડારમાંથી કરવામાં આવશે

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ભારત ચોખાના લોન્ચની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ‘ભારત ચોખા’ બ્રાન્ડનું વેચાણ NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા), NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન) અને કેન્દ્રીય ભંડાર દ્વારા કરવામાં આવશે.

ચોખાના વધતા ભાવ અંગે સરકારે ચેતવણી આપી હતી

અગાઉ સરકારે ચોખાના વધતા ભાવ અંગે વેપારીઓને ચેતવણી આપી હતી. સરકારે કહ્યું કે નોન-બાસમતી ચોખાની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, જ્યારે સરકાર તેને લગભગ 27 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપારીઓને ઉપલબ્ધ કરાવી રહી છે. સરકારે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લીધો હતો.

27.50 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવી રહ્યો છે ભારત બ્રાન્ડનો લોટ

કેન્દ્ર સરકારે તાજેતરમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે ‘ભારત લોટ’ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 6 નવેમ્બરે દિલ્હીમાં આ બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ ‘Bharat Atta’ 10 અને 30 કિલોના પેકમાં ઉપલબ્ધ છે. તે નાફેડ, એનસીસીએફ, સફલ, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ વેચવામાં આવે છે. Bharat Atta લગભગ 2000 રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ માટે સરકારી એજન્સીઓને 2.5 લાખ મેટ્રિક ટન ઘઉં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

સરકાર ડુંગળી અને દાળનું પણ વેચાણ કરી રહી છે

બજારમાં નોન-બ્રાન્ડેડ લોટની કિંમત 30-40 રૂપિયા પ્રતિ કિલો છે અને બ્રાન્ડેડ લોટની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો છે. ઘઉંના સતત વધી રહેલા ભાવને કારણે લોટના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય લીધો હતો. હાલમાં સરકાર પણ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહી છે. આ ઉપરાંત ‘ભારત દાળ’ (ચણાની દાળ) પણ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

આ પણ વાંચો: ભારતનો GDP 5,000 બિલિયન અમેરિકન ડોલરને પાર કરશે

Back to top button