ટ્રેન્ડિંગધર્મ

2025 સુધી આ પાંચ રાશિને મળશે ભાગ્યનો સાથ, થશે ધનની રેલમછેલ

Text To Speech
  • દિવાળી પહેલા 30 ઓક્ટોબરના રોજ રાહુ-કેતુ ગોચર થઇ ચૂક્યું છે. હવે રાહુ-કેતુ વર્ષ 2025માં ગોચર કરશે. જાણો આ વર્ષ કોના માટે શુભ રહેશે?

જ્યોતિષ શાસ્ત્રમાં હિંદુ ધર્મનું ખૂબ મહત્ત્વ છે. જ્યોતિષની મદદથી ગ્રહોના ગોચર અને રાશિ પરિવર્તનનને સમજી શકાય છે. ગ્રહોના રાશિ પરિવર્તનની સીધી અસર 12 રાશિઓ પર પડે છે. માયાવી ગ્રહ રાહુ અને કેતુએ 30 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કર્યું હતુ. રાહુએ મીન રાશિમાં અને કેતુએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે રાહુ-કેતુ દોઢ વર્ષ બાદ એટલે કે 2025માં પોતાની રાશિ બદલશે. રાહુ-કેતુના પ્રભાવથી વર્ષ 2025 સુધીનો થોડો સમય કેટલીક રાશિઓ માટે લાભકારી રહેવાનો છે. જાણો કઇ રાશિના લોકોને રાહુ-કેતુ શુભ પરિણામ આપશે.

વૃષભ રાશિ

રાહુ-કેતુ ગોચરના પ્રભાવથી વૃષભ રાશિના જાતકોને ધન લાભના અવસર મળશે. આ સમયગાળામાં તમે તમારા કાર્યોમાં સફળતા મેળવી શકશો. જીવનસાથીનો સહયોગ મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ સમયગાળામાં તમને ભૂમિ-ભવન અને વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે.

 2025 સુધી આ પાંચ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, થશે ધનની રેલમછેલ hum dekhenge news

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે રાહુ-કેતુ ગોચરના પ્રભાવથી આવનારા દોઢ વર્ષ લાભકારી રહેશે. આ દરમિયાન તમને કાર્યસ્થળ પર ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. પરિવારની સાથે સારો સમય વ્યતિત કરી શકશો. પાર્ટનરનો ભરપૂર સહયોગ મળશે. ધનની આવક વધશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે રાહુ-કેતુ ગોચર શુભ રહેવાનું છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરનાર જાતકોને સુખદ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. પાર્ટનર અને સંતાનનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયગાળામાં કોઇ મોટી ઉપલબ્ધિ મળી શકે છે અને સુખદ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.

મકર રાશિ

મકર રાશિને રાહુ-કેતુ ગોચર શુભ પરિણામ આપશે. આ ગોચરના પ્રભાવથી તમને લાઈફમાં સફળતા અને ધન લાભ મળશે. સંતાન તરફથી ભરપૂર સહયોગ મળશે. કાર્યસ્થળ પર પ્રમોશનના નવા અવસર મળશે. આરોગ્ય સારી રહેશે.

આ પણ વાંચોઃ અભિષેક બચ્ચનની “ઘૂમર” ક્યારે અને કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે ?

Back to top button