ગુજરાતટોપ ન્યૂઝ

માનવતા માટે યોગા થીમ આધારિત બનાસકાંઠામાં યોગ કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા

Text To Speech

પાલનપુર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં તા. ૨૧ જૂન-૨૦૨૨ના રોજ સાંસદ પરબતભાઇ પટેલની ઉપસ્થિતમાં “માનવતા માટે યોગા’’ (Yoga for Humanity) ના થીમ આધારિત યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ૬૦૦ જેટલાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અંબાજી મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

અંબાજી મંદિરના ચાચર ચોકમાં ૬૦૦ જેટલાં વ્યક્તિઓએ યોગમાં ભાગ લીધો
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં સુખ- શાંતિ માટે સંયુકત રાષ્ટ્ર સમક્ષ ભારતની ભવ્ય યોગ પધ્ધતિનો સ્વીકાર કરવા સુચન કર્યુ હતુ. જેને દુનિયાના દેશોએ સ્વીકાર કરતા આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે, નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન પ્રસન્ન રહે છે તથા દિવ્યે ઊર્જા મળે છે. તેમણે કહ્યું કે, યોગ કરવાથી મુશ્કેશલીઓ અને ટેન્શન દૂર થાય છે અને આમ થવાથી દુનિયાભરમાં સુખ- શાંતિ આવી શકે છે.

પાલનપુર પોલીસ પૂર્વ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ
પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સાંસદએ યોગ દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિ- મુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે અને યોગથી અનેક રોગોને મટાડી પણ શકાય છે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે, યોગ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે, યોગ મન અને તનની તંદુરસ્તી માટે અનિવાર્ય છે જેનાથી વ્યક્તિની કામ કરવાની અને હકારાત્મક વિચારવાની શક્તિનો વિકાસ થાય છે.

બીએસએફના જવાનો સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ નડાબેટ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

ભારત-પાક. બોર્ડર નડાબેટ ખાતે BSFના જવાનો વિશ્વ યોગ દિવસમાં જોડાયા
આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીમાં ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર સીમાના પ્રહરી BSF ના જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં સીમા સુરક્ષા દળના જવાનો જોડાયા હતા. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બી.એસ.એફ.ના જવાનો સાથે જોડ્યા હતા.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક દેશોમાં ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા યોગ શાસ્ત્રને લોકો સ્વીકારતા થયા છે. દરેક નાગરિક નિત્ય યોગ કરી પોતાના આરોગ્યને નિરોગી બનાવે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.

Back to top button