ટ્રેન્ડિંગધર્મ
આ સરળ વાસ્તુ ઉપાયથી ઘરમાં આવશે પોઝિટીવ એનર્જી, વાસ્તુ દોષ થશે દૂર


- હિંદુ ધર્મમાં કેટલાક સરળ વાસ્તુ ઉપાય આપવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે તમારા ઘરમાં અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ એવું કહેવાય છે કે જે વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય તે રંકમાંથી રાજા બની જાય છે અને જો સમય ખરાબ ચાલી રહ્યો હોય તો વ્યક્તિ બરબાદ પણ થઈ શકે છે. હિંદુ ધર્મમાં કેટલાક સરળ વાસ્તુ ઉપાય આપવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે તમારા ઘરમાં અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરી શકો છો. જાણો કયા વાસ્તુ ઉપાયો અપનાવવાથી નેગેટિવ એનર્જી દૂર થશે.
- પૂર્ણિમાની રાત્રે, એક બોટલમાં પાણી ભરો અને તેને ચાંદનીમાં રાખો. તે પાણી તમારી માતાને પીવડાવો અને તેનાથઈ સ્નાન પણ કરાવો. તેમના રૂમમાં લવન્ડરની સુગંધ કરી શકો છો. . તેમના રૂમની પૂર્વ દિશાની બારી શક્ય હોય તો ખુલ્લી રાખો.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી પણ ફિક્સ જગ્યા હોય છે. ઈશાન ખુણામાં સાવરણી રાખવાથી માનસિક અશાંતિ થાય છે. અગ્નિ કોણમાં ઝાડુ રાખવાથી ધનની હાનિ થાય છે અને બરકત પણ પ્રભાવિત થાય છે. દક્ષિણ-પશ્ચિમમાં ઝાડુ રાખવાથી વેપારની સ્થિતિ પર અને સંબંધો પર અસર પડે છે.
- સાવરણી રાખવાની શ્રેષ્ઠ દિશા પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ છે. ઝાડુ હંમેશા નીચે રાખવું જોઈએ. તેને ક્યારેય ઊભું ન રાખો.
- ઘરના મુખ્ય દ્વાર પર બૂટ અને ચંપલ ન રાખો. તેનાથી સકારાત્મક ઉર્જા આવવામાં અવરોધો ઉભા થાય છે. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.
- જો કોઈ કારણોસર મુખ્ય દરવાજામાંથી ચંપલ અને ચપ્પલ હટાવવાનું શક્ય ન હોય તો શૂ રેક બનાવી લો. જૂતાની રેક સંપૂર્ણપણે બંધ હોવી જોઈએ. તેના પર કેટલીક સુશોભન વસ્તુઓ મૂકો જેથી તે તમને સકારાત્મક લાગણી આપે. તેની ઉપર કેટલાક છોડ પણ રાખી શકાય છે. ધ્યાનમાં રાખો કે જૂતા અને ચપ્પલ રેકની અંદર જ રહે છે. બહાર ન રહે.
- જો ઘરમાં ચાવી વગરના તાળા અને તાળા વગરની ચાવી હોય તો તેને દૂર કરી દો, નહીંતર બાધાઓ આવતી રહેશે. જૂની પેન, ટીવી, ઘડિયાળ, લોખંડ વગેરે કાઢી નાખો.
- છત પર રાખવામાં આવેલો ભંગાર, લાકડા વગેરે તણાવ અને અવરોધનું કારણ બને છે. તેને તરત જ દૂર કરો. સૂતી વખતે પલંગ પાસે પાણીની બોટલ ન રાખો. જેના કારણે માનસિક તકલીફો થાય છે.
આ પણ વાંચોઃ શારદીય નવરાત્રીમાં આ વખતે પાલકીમાં સવાર થઈને આવશે મા દુર્ગા