કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગરના મેથાન-સરવાળ વચ્ચેના તળાવમાં નાહવા પડેલા 5 બાળકોના ડૂબી જતા મોત

Text To Speech

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા પાસેના મેથાન અને સરવાળ વચ્ચે આવેલા તળાવમાં નાહવા પડેલા પાંચ બાળકોના ડૂબવાથી મોત થયા છે.ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ તમામના મૃતદેહને બહાર નીકાળી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નાહવા પડેલા પાંચ બાળકોના મોત 

ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચેના તળાવમાં 5 બાળકો નાહવા માટે પડ્યા હતા. જો કે આ પાંચેય બાળકો થોડી જ વારમાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેની જાણ આસપાસના લોકોને થતા લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. ભારે જહેમત બાદ પાંચેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.  ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Back to top button