ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

શું હજુ પણ વરસાદ પડશે? શું કહે છે હવામાન ખાતું અને અંબાલાલ પટેલ?

અમદાવાદ, 5 ઓકટોબર, હાલ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે પોસ્ટમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ક્યાં જિલ્લામાં હજુ પણ વરસાદની શકયતા છે. રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સાથે  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7થી 12 ઓક્ટોબર  વચ્ચે હળવા વરસાદની આગાહી કરી છે.  દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં આજથી વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે.

અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા,

રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાની સિઝનનો સરેરાશ 137.62 ટકા નોંધાયો છે. હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે, સાથે સાથે 16 થી 22 ઓકટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા, સાબરકાંઠામાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

ચોમાસાની વિદાય બાદ પણ પાછોતરો વરસાદ થતો હોય છે. જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થાય છે. જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરના કારણે વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે. 16 થી 22 ઓકટોબર વચ્ચે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.

શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

આ પણ વાંચો….ખેલૈયાઓ આનંદો… અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે

Back to top button