ગુજરાત

અમદાવાદમાં લવ જેહાદ: ઘઉંમાં મૂકવાની દવા પીવડાવી દીધા બાદ પતિનું ગળું દબાવી દીધું

Text To Speech

ખોખરામાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી દિધી છે. જેમાં ઘઉંમાં મૂકવાની દવા પીવડાવી દીધા બાદ પતિનું ગળું દબાવી દીધું હતુ. ખોખરામાં વિધર્મી પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સામાન્ય જનતાને થશે લાભ, પ્રિસ્ક્રિપ્શનમાં બ્રાન્ડની સાથે જેનેરિક નામ ડોક્ટર માટે ફરજિયાત!

પતિને આડાસંબંધોની જાણ થતાં તેની હત્યાનું કાવતરું ઘડયું

ખોખરામાં વિધર્મી પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ગળું દબાવી હત્યા કરી છે. હત્યા કરતા પહેલાં પત્નીને ઘઉંમાં મૂકવાની દવા પીવડાવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા અને પતિને આડાસંબંધોની જાણ થતાં તેની હત્યાનું કાવતરું ઘડયું હતું.

આ પણ વાંચો: મકરસક્રાંતિએ ચંદ્ર વાયુ મંડળમાં હોવાથી થશે આ મોટો ફેરફાર

પોલીસે ગણતરીના કલાકોમાં બંનેની ધરપકડ કરી

પ્રાપ્તિ માહિતી અનુસાર, ખોખરામાં 25 વર્ષીય રોહિત બાંમણીયા પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી તેની પત્ની અનુરાધાને ઇન્ઝમામ ખ્યાર સાથે પ્રેમસંબંધ હોવાથી અનુરાધાએ તેના પતિને મારી નાખવાનું કાવતરું ઘડયુ હતું. બપોરે 1 વાગ્યાની આસપાસ પત્નીએ પતિને વિશ્વાસમાં લઇને ઘઉંમાં મૂકવાની દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે પતિને પત્નીના આડાસંબંધોની જાણ થતાં અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતાં હતા. દરમિયાન પત્ની અને તેના પ્રેમીને રોહિત કાટાની જેમ ખૂંચતો હતો, જેથી વચ્ચેથી કાંટો કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરૂ ઘડયું હતું. હાલ તો પોલીસે ગણતરીના કલાકોમાં બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button