ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

‘આમ તો સાંસદ એક જ હોય પણ અહીં તમને 2-2 મળશે’, પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં આવું કેમ કહ્યું?

રાયબરેલી, 8 મે: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં પોતાના ભાઈ રાહુલ ગાંધી માટે વોટ માગ્યા છે. તેમણે કહ્યું, ‘તમે સેવાની રાજનીતિ સમજો છો. હંમેશા દેશ પ્રત્યે વફાદારી અને જાગૃતિ દર્શાવી છે. જો તમે અહીં રાહુલ ગાંધીને જીતાડશો તો તમને આવા જ સાંસદો મળશે. તમને 2-2 લોકો મળશે. આમ તો સામાન્ય રીતે એક સાંસદ હોય છે પરંતુ તમને અહીં 2-2 સાંસદો મળશે.

તમારા સાંસદ સાથે હું પણ કામ કરીશ: પ્રિયંકા

પ્રિયંકાએ કહ્યું, ‘હું પણ અહીં હોઈશ અને રાહુલ પણ અહીં જ હશે. તે તમારા સાંસદ હશે અને હું તેમની સાથે કામ કરીશ. આપણે આપણા પૂર્વજોની જેમ જ દિલથી બધી સમસ્યાઓનો ઉકેલ લાવીશું.

પ્રિયંકાના આ નિવેદનની રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે તે એક સાંસદ તરીકે જનતાની સામે પોતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જ્યારે તેના ભાઈ રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપનું સમગ્ર તંત્ર રાહુલ ગાંધી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં વ્યસ્ત છેઃ પ્રિયંકા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપનું સમગ્ર તંત્ર રાહુલ ગાંધી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં વ્યસ્ત છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી ધર્મ, જાતિ અને મંદિર-મસ્જિદની વાત કરે છે પરંતુ લોકો સાથે જોડાયેલા વાસ્તવિક મુદ્દાઓની વાત નથી કરતી.

ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર પોતાના ભાઈ રાહુલ ગાંધી માટે પ્રચાર કરી રહેલા પ્રિયંકાએ કહ્યું કે રાયબરેલીના લોકો નેતાઓને સારી રીતે સમજે છે. રાયબરેલીના થુલવાસામાં એક શેરી સભામાં બોલતા, તેમણે કહ્યું, ‘જ્યારે તેમને ઈન્દિરાજી (ઈન્દિરા ગાંધી)ની કોઈ નીતિ પસંદ ન હતી, ત્યારે તેમણે તેમને પણ હરાવ્યા હતા. ઈન્દિરાને ગુસ્સો ન આવ્યો પણ આત્મનિરીક્ષણ કર્યું. તમે તેમને ફરીથી પસંદ કર્યા. રાયબરેલીના લોકોની એ ખાસિયત છે કે તેઓ નેતાઓને સમજે છે.

પ્રિયંકાએ કહ્યું, ‘તમે જાણતા જ હશો કે રાહુલ ગાંધીએ કેટલો સંઘર્ષ કર્યો છે. તે આપણા દેશમાં એક એવી વ્યક્તિ છે કે જેના વિશે સમગ્ર ભાજપ તંત્ર દરેક સંભવ રીતે ખોટા અને જુઠ્ઠાણા ફેલાવે છે. કેટલા હુમલા થયા? તેમને સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, તેમને ઘરમાંથી પર નીકાળવામાં આવ્યા હતા પરંતુ રાહુલે ક્યારેય પીછેહઠ નથી કરી. રાહુલ જ્યારે પણ કોઈ સાથે અન્યાય થતો જુએ છે, ત્યારે તે ન્યાય માટે લડે છે અને તે ક્યારેય પાછો પડતો નથી.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘એટલે જ રાહુલે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટર ચાલીને મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા કરી. આ તમારી સમસ્યાઓ સમજવાની યાત્રા હતી. દેશને બતાવવા વાળી યાત્રા હતી કે દેશમાં રાજનીતિની દિશા ખોટી થઈ રહી છે અને આપણે તેને સુધારવી પડશે.’

આ પણ વાંચો: મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ મતદાન બૂથમાં ઘૂસીને ઈન્સ્ટા લાઈવ કર્યુંઃ EVM તો આપણા બાપનું છે

Back to top button