ટ્રેન્ડિંગમનોરંજન

મલાઇકા અરોરાએ કેમ હટાવી હતી ખાન સરનેમ? લોકોએ શું સલાહ આપી હતી?

Text To Speech

મલાઇકા અરોરા અરબાઝ ખાનથી અલગ થઇ ચુકી છે. તેના ડિવોર્સ તેના ફેન્સ માટે ખુબ જ શોકિંગ હતા. હાલમાં બંને સાથે મળીને પુત્ર અરહાનને સાચવી રહ્યા છે. અરબાઝ અને મલાઇકા હવે જિંદગીમાં આગલ વધી ચુક્યા છે. અલગ થયા બાદ મલાઇકાએ અરબાઝ ખાનની સરનેમ પોતાના નામ પાછળથી હટાવી દીધી હતી. હવે એક ઇવેન્ટ દરમિયાન મલાઇકાએ આ અંગે વાત કરી છે. તેણે જણાવ્યુ કે આ વાતનો તેને કેટલો ફાયદો થયો અને કેટલું નુકશાન. તેણે શા માટે આ પગલું ભર્યુ હતુ.

મલાઇકા અરોરાએ કેમ હટાવી હતી ખાન સરનેમ? લોકોએ શું સલાહ આપી હતી? hum dekhenge news

સરનેમના મળ્યા ફાયદા, પરંતુ…

મલાઇકા અરોરા અરબાઝથી અલગ થઇ ગઇ, પરંતુ તેના પરિવાર માટે તેના દિલમાં ખુબ રિસ્પેક્ટ છે. મલાઇકાએ તેની સરનેમ અંગે વાત કરતા એક ઇવેન્ટમાં કહ્યુ કે તેનાથી જીવનમાં ઘણાં ફાયદા થયા છે. તેણે કહ્યુ મારી સરનેમે મારા માટે ઘણા રસ્તાઓ ખોલી દીધા હતા, પરંતુ મહેનત તો મારે જ કરવી પડી. મારી સરનેમ ખાન હતી ત્યારે પણ હું કામ કરતી આજે સરનેમ બદલાઇ ગઇ છે, તો પણ હું કામ કરી રહી છુ.

મલાઇકા અરોરાએ કેમ હટાવી હતી ખાન સરનેમ? લોકોએ શું સલાહ આપી હતી? hum dekhenge news

લોકોએ કહ્યુ, ભુલ કરી રહી છે…

મલાઇકાએ જણાવ્યું કે કેટલાય લોકોએ મને ચેતવી હતી કે હું મારી સરનેમ ન હટાવું. લોકોએ કહ્યું હતુ કે સરનેમ હટાવીને હું મોટી ભુલ કરી રહી છું. કેટલાકે એમ કહ્યુ હતુ કે તને આ સરનેમના ફાયદા ખબર નથી. મને મારા પુર્વ સાસરિયા અને પુર્વ પરિવારના લોકો માટે આજે પણ રિસ્પેક્ટ છે. સરનેમ હટાવીને મને મારા જુના નામ પર આવીને મારા હોવાનો અહેસાસ થયો. મને લાગ્યુ કે હવે હું મારી જિંદગીમાં કંઇ પણ કરી શકુ છુ.

આ પણ વાંચોઃ ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધી, ગેલેક્સી પર પોલીસનો કડક પહેરો

Back to top button