ટ્રેન્ડિંગમનોરંજન

જેનિફર વિંગેટે કરણસિંહ ગ્રોવરથી કેમ લીધા હતા છૂટાછેડા? અભિનેત્રીએ વર્ષો પછી તોડ્યું મૌન

Text To Speech

જેનિફર વિંગેટ ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. તેણે માત્ર 12 વર્ષની ઉંમરે ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ ફિલ્મમાં કામ કર્યું હતું. જેનિફરે ટીવી શો ‘દિલ મિલ ગયે’, ‘બેહદ’, ‘કહીં તો હોગા’ અને ‘બેપન્નાહ’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરીને પોતાની અલગ જ ઓળખ બનાવી છે. હાલમાં તે તેની સિંગલ લાઈફનો આનંદ માણી રહી છે. તે ટીવી શોના સેટ પર જ કરણ સિંહ ગ્રોવરને મળી હતી. જે બાદ તેણે 2012માં તેની સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા હતા. હવે વર્ષો પછી, જેનિફરે કરણ સિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે આમાં કોઈની ભૂલ નથી.

જેનિફરે કરણસિંહ સાથેના છૂટાછેડા પર કહી આ વાત 

કરણસિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર જેનિફરે બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું માનું છું કે અમે બંને આ માટે તૈયાર નહોતા. અમે બંને એ પગલું ભરવા તૈયાર નહોતા. અમે ઘણા લાંબા સમયથી મિત્રો હતા. જ્યારે પણ અમે મળતાં ત્યારે અમે ઘરમાં ધૂમ મચાવી દેતા હતા, પણ મને લાગે છે કે તે એક દુર્ભાગ્યપુર્ણ સમય હતો.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1)

કરણસિંહ ગ્રોવરે બિપાશા સાથે કર્યા હતા લગ્ન

જેનિફર વિંગેટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વેબસિરિઝ ‘કોડ એમ સિઝન 2’માં જોવા મળી હતી. જે હિટ સાબિત થઈ હતી. કરણ બિપાશા સાથે લગ્ન કરીને લાઈફ એન્જોય કરી રહ્યો છે. જેનિફર સાથેના છૂટાછેડા પછી કરણ સિંહ ગ્રોવરે 30 એપ્રિલ 2016ના રોજ બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ બાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો. હવે દંપતી માતા-પિતા બન્યાનો આનંદ માણી રહ્યું છે.

આ પણ વાંચો: ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મનું ટીઝર થયુ રિલીઝ; જુઓ રણદીપ હૂડાનો કેવો છે લૂક

Back to top button