ટ્રેન્ડિંગમનોરંજન

એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોવા છતા મુમતાઝ શમ્મી કપૂર સાથે કેમ લગ્ન ન કરી શકી? જણાવ્યું કારણ

  • મુમતાઝ અને શમ્મી કપૂરની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહી છે. શમ્મી કપૂર અને મુમતાઝે ફિલ્મ ‘બ્રહ્મચારી’માં સાથે કામ કર્યું હતું

6 જુલાઈ, મુંબઈઃ અભિનેત્રી મુમતાઝ 70-80ના દાયકામાં હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. તેણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધીના તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આજે પણ લોકો તેની એક્ટિંગના દિવાના છે. આ અભિનેતાઓમાંથી એક શમ્મી કપૂર હતો, જે મુમતાઝને ખૂબ પ્રેમ કરતો હતો. મુમતાઝ અને શમ્મી કપૂરની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહી છે.

શમ્મી કપૂર સાથે હતું અફેર

શમ્મી કપૂર અને મુમતાઝે ફિલ્મ ‘બ્રહ્મચારી’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી તેમની વચ્ચે મિત્રતા ગાઢ હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એટલું જ નહીં, અભિનેતાએ મુમતાઝને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું, પરંતુ મુમતાઝે તેને ફગાવી દીધું હતું. બાદમાં અભિનેત્રીએ મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એવું તે શું થયું કે અનહદ પ્રેમ હોવા છતાં મુમતાઝે શમ્મી કપૂર સાથે લગ્ન ન કર્યા. હવે અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

મુમતાઝે શા માટે શમ્મી કપૂર સાથે લગ્ન ન કર્યાં?

મુમતાઝે જણાવ્યું કે શમ્મી કપૂરે તેને માત્ર 17 વર્ષની ઉંમરે પ્રપોઝ કર્યું હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ કપૂર પરિવારના રિવાજોને કારણે મુમતાઝે શમ્મી કપૂર સાથે લગ્ન ન કર્યા. ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે હું માત્ર 17 વર્ષની હતી. તે (શમ્મી) ઈચ્છતો હતો કે હું મારી કરિયર છોડી દઉં. મને નથી લાગતું કે કોઈ મને તેના જેટલો પ્રેમ કરી શકે. હું તેને ક્યારેય ભૂલી શકી નથી. આજે જ્યારે પણ તેનું નામ આવે છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે.

એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોવા છતા મુમતાઝ શમ્મી કપૂર સાથે કેમ લગ્ન ન કરી શકી? જણાવ્યું કારણ hum dekhenge news

મુમતાઝે જણાવ્યું કારણ

શમ્મી સાથેના તેના સંબંધો પર, અભિનેત્રીએ કહ્યું કે તે પ્રેમ નહીં, પરંતુ તેનાથી ઘણું વધારે હતું. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. દુર્ભાગ્યે તે સમયે કપૂર પરિવારની મહિલાઓ કામ કરતી ન હતી. શમ્મી પોતાના પરિવારની ઈચ્છાઓ અને વિચારોનું સન્માન કરતા હતા અને મારે મારા કરિયરનું સન્માન કરવાનું હતું, મારી પાસે તેના સિવાય કોઈ રસ્તો ન હતો.

પોતાની કારકિર્દી માટે પ્રેમનું બલિદાન આપવા અંગે મુમતાઝે કહ્યું, હું બીજું કશું વિચારી શકું તેમ ન હતી. મારે મારા પરિવારને સંભાળવાનો હતો. મને સ્ટ્રગલર તરીકે પણ 8 લાખ રૂપિયા મળતા હતા. હું મારા સમયની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી હતી. બાળપણમાં જ્યારે મારી માતા મને પૂછતી કે હું કોની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. તો હું કહેતી કે મારે ઈરાનના શહેનશાહ સાથે લગ્ન કરવા છે. હું જિંદગીમાં બધું બેસ્ટ ઈચ્છતી હતી.

આ પણ વાંચોઃ શેખ હસીનાના પિતાનો પણ થયો હતો તખ્તાપલટ, આ ફિલ્મમાં બતાવવામાં આવી છે તેમની કહાની

Back to top button