અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં આ પાપ કોનું?

Text To Speech

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક બાળકીનું મૃતદેહ મળી આવ્યું છે.  આજે સવારના 9:00 વાગ્યાના અરસામાં કચરો વાળતી બહેનને નરોડા નવયુગ કેનાલના પાછડના ભાગમાંથી એક મૃત બાળકી મળી આવી છે. આ બાળકીને એક લાલા કલરના બેગની અંદર બંધ કરીને ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યો વ્યક્તિ મુકીને ચાલ્યું ગયું છે. સફાઈ કરનાર બહેને જ્યારે આ બેગને ઠલવ્યું તો તરત જ તેમાંથી બાળકીનો મૃતદેહ નીચે પડ્યો હતો. આ અંગે આજુ બાજુમાં તપાસ કરતા બાળકી વિશેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

આ તસ્વીર તમને વિચલીત કરી શકે છે.

આ ધટના સામે આવી તેને ખાસો સમય થયો પરંતુ હજુ સુધી પુલીસ દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.  આ ઘટના અંગે મહત્વનું તો એ છે કે, પોલીસ દ્વારા આ કેસને કોઈ પણ પ્રકારના પુરાવા સામે આવ્યા નથી એવુ સાબીત કરીને કેસને રફ્ફે-દફ્ફે કરી દેવા માંગતી હતી. જ્યારે પોલીસ કોઈપણ સી.સી.ટી.વી કેમેરાની તપાસ કર્યા વિના જ આ કેસને ક્લોસ કરવાની માંગે છે.

આ ધટના બની તેને સવારથી સાંજ થવા આવી પરંતુ અત્યાર સુધી ના તો કોઈ મોટા અધીકારી PI, PSI, ASI કે ના તો હજુ સુધી 108 ઘટના સ્થળે પહોંચી છે.

Back to top button