સુશાંતનું ઘર કોણે લીધું ભાડે ? અઢી વર્ષે મળ્યો ભાડૂઆત !


દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયાને અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આટલો સમય વીતી જવા છતાં હજુ સુધી આ કેસમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી. આ દરમિયાન, તાજેતરમાં જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જે ઘરમાં સુશાંતનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો, ત્યાં ટૂંક સમયમાં નવો ભાડૂઆત રહેવા આવી શકે છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુશાંત સિંહ મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર આવેલા આ લક્ઝરી હાઉસમાં રહેતા હતા.
આ પણ વાંચો : તુનિષાની આત્મહત્યા બાદ ફરી શરુ થયો ‘અલી બાબા’ શો : આ એક્ટ્રેસે કર્યો ખુલાસો

કેટલું છે ઘરનું ભાડું ?
વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન, તેણે જૂન મહિનામાં તે જ ઘરમાં આત્મહત્યા કરી હતી. જ્યાં પોલીસે આ તપાસમાં અભિનેતાના મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી. તે જ સમયે, ચાહકોનું કહેવું છે કે સુશાંતની હત્યા કરવામાં આવી હતી. સુશાંતના મૃત્યુ બાદથી આ ફ્લેટ ખાલી પડી રહ્યો હતો. જો કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં રહેવા માટે નવા ભાડુઆત આવી રહ્યા છે. જણાવી દઈએ કે ઘરનો માલિક વિદેશમાં રહે છે અને તે આ ઘર માટે નવા ભાડૂઆતની શોધમાં છે. જો કે આ ઘરનું ભાડુ સામાન્ય મકાનો કરતા વધુ છે. આ ઘર ભાડે લેવા માટે દર મહિને પાંચ લાખ રૂપિયા ચૂકવવા પડશે.
ટૂંક સમયમાં ડીલ થઈ શકે છે ફાઈનલ
મીડિયા અહેવાલો મુજબ, રસ ધરાવતા પક્ષ સાથે મકાનમાલિક સાથે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં સોદો ફાઇનલ થવાની સંભાવના છે. નોંધપાત્ર વાત એ છે કે સુશાંતે આ ઘર ત્રણ વર્ષ માટે લીધું હતું. સુશાંત તેના મિત્રો રિયા ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાણી અને તેના મદદગારો નીરજ અને કેશવ સાથે રહેતો હતો. 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ આ ઘરના બેડરૂમમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. આ મામલામાં અત્યાર સુધી ઘણા દાવા કરવામાં આવ્યા છે, પરંતુ અભિનેતાના મૃત્યુનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી.