ગરમીમાં કોણે ન પીવું જોઈએ હળદરવાળું દૂધ? જાણો ફાયદા અને નુકશાન


- ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઉનાળામાં હળદરવાળું દૂધ પીવું જોઈએ કે નહીં? જો તમારા મનમાં પણ આ સવાલ થઈ રહ્યો છે તો જાણો તેનો જવાબ
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા કેટલાય લોકો હળદરનું દૂધ પીવે છે. ઉનાળામાં આવું કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઉનાળામાં હળદરવાળું દૂધ પીવું જોઈએ કે નહીં? જો તમારા મનમાં પણ આ સવાલ થઈ રહ્યો છે તો જાણો તેનો જવાબ. હળદર આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. હળદરવાળું દૂધ પ્રોટીન, કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. ગરમીના દિવસોમાં હળદરવાળું દૂધ ફાયદાકારક હોય છે, કેટલાક લોકોને તે નુકશાન પહોંચાડી શકે છે.
કયા લોકોએ ન પીવું જોઈએ?
ઉનાળામાં હળદરવાળું દૂધ આરોગ્ય માટે ફાયદાકારક છે. જો કે ગરમ પ્રકૃતિ ધરાવતા લોકોએ ઉનાળાની ઋતુમાં હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. હળદરવાળું દૂધ પીવાથી આવા લોકોના શરીરનું તાપમાન વધી શકે છે. હળદરવાળું દૂધ પેટમાં ગરમી વધારી શકે છે અને અપચો અને ઝાડા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.
હળદરવાળા દૂધના ફાયદા
હળદરવાળું દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. નિયમિત હળદરનું દૂધ પીવાથી શરીર રોગો સામે લડવા માટે તૈયાર થાય છે. હળદરનું દૂધ વજનને નિયંત્રિત કરવામાં પણ અસરકારક સાબિત થાય છે. મેદસ્વી લોકો અથવા પાતળા લોકો બંને કોઈપણ ચિંતા વગર હળદરવાળા દૂધનું સેવન કરી શકે છે. હળદરવાળું દૂધ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે. તેને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી ત્વચામાં ગ્લો પણ આવે છે. હળદરવાળું દૂધ ડિપ્રેશન અને આર્થરાઈટિસ જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.
આ પણ વાંચોઃ સાયલન્ટ હાર્ટ એટેક કેટલો ખતરનાક? આ લક્ષણોથી ઓળખો, કોને વધુ ખતરો?