ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોણ છે દિલ્હીના CM આતિશીના માતા-પિતા જેના પર થયો હોબાળો, શું છે આરોપ? જાણો

  • પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે પોતે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ આપવામાં આવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે આતિશી દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જો કે, આ માહિતી બહાર આવતાની સાથે જ આતિશીના પરિવારને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ તેના પર સતત પ્રહારો કરી રહ્યા છે. આતિશીના માતા-પિતા પર આતંકવાદીઓને સમર્થન આપવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

 

આતિશીના માતા-પિતા કોણ છે?

દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીની માતાનું નામ ત્રિપ્તા વાહી અને પિતાનું નામ વિજય સિંહ છે. અહેવાલો અનુસાર, વિજય સિંહ પંજાબી મૂળના રાજપૂત સમુદાયના છે. આતિશીના બંને માતા-પિતા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ત્રિપ્તા વાહી અને વિજય સિંહ બંને ડાબેરી વિચારસરણી(left-wing) ધરાવનારા હતા. તેથી તેમણે આતિશીને માર્લેના ઉપનામ આપ્યું જે માર્ક્સ અને લેનિન પરથી ઉતરી આવ્યું છે. જોકે, આતિશીએ પોતાના નામમાંથી માર્લેના શબ્દ કાઢી નાખ્યો છે.

અફઝલ ગુરુને સમર્થન આપવાનો આરોપ

હકીકતમાં, આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે આતિશી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. સ્વાતિએ કહ્યું છે કે, “એક મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી બનાવવામાં આવી રહી છે જેના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. તેના માતા-પિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે રાષ્ટ્રપતિને દયાની અરજી લખી હતી. તેમના કહેવા પ્રમાણે, અફઝલ ગુરુ નિર્દોષ હતા અને રાજકીય ષડયંત્રમાં ફસાયા હતા જો કે આતિશી માર્લેના માત્ર ‘Dummy CM’ છે, આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે.”

સ્વાતિ માલિવાલના વધુ આરોપો

રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે પણ આતિશીના માતા-પિતા પર SAR Geelani સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ X પર લખ્યું કે, “આતિશી માર્લેનાના માતા-પિતાના એસએઆર ગિલાની સાથે ગાઢ સંબંધો હતા.” ગિલાની પર આરોપ છે કે સંસદ પર હુમલા કરવામાં પણ તેનો હાથ હતો. 2016માં તેણે દિલ્હીની પ્રેસ ક્લબમાં અફઝલ ગુરુની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે કાર્યક્રમમાં આતિશી માર્લેનાના માતા-પિતા મંચ પર ગિલાની સાથે હતા. આ કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા – “એક અફઝલને મારશો તો લાખો જન્મશે”, “કાશ્મીર આઝાદી માંગે છે”. આતિશી માર્લેનાના માતા-પિતાએ “Arrest and torture of Syed Geelani” નામનો લેખ પણ લખ્યો છે.

મારો અવાજ ઉઠાવવાની જવાબદારી મારી છે: સ્વાતિ 

સ્વાતિ માલીવાલે કહ્યું કે, દિલ્હીની સાંસદ હોવાના કારણે દિલ્હી અને દેશનો અવાજ ઉઠાવવાની જવાબદારી મારી છે. મારી દિલ્હી આતંકવાદી અફઝલ પ્રેમી હાથમાં જાય અને હું મૌન બેસી રહું, તેવું ચોક્કસ થશે નહિ. સ્વાતિએ વધુમાં કહ્યું કે, “તમે મારી વિરુદ્ધ જે ઈચ્છો તે કહો, આતંકવાદી અફઝલ સાથેના સંબંધોનો તો જવાબ આપવો પડશે.”

આ પણ જૂઓ: અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ફરી વધારો, જાણો હવે દિલ્હી કોર્ટે શું કર્યું ?

Back to top button