ટોપ ન્યૂઝનેશનલશ્રી રામ મંદિર

રામ મંદિર પર આભાર પ્રસ્તાવનો વિરોધ કરનારા સપાના 14 ધારાસભ્યો કોણ?

  • ભાજપ શા માટે જાહેર કરવા માંગે છે આ ધારાસભ્યોના નામ જાહેર?
  • 90 ટકા સપા ધારાસભ્યોએ યોગી સરકારના પ્રસ્તાવને આપ્યું હતું સમર્થન 

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર આભાર પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે લગભગ 90 ટકા સપા ધારાસભ્યોએ યોગી સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ત્યારે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું અખિલેશ યાદવ પોતાની પાર્ટીના ધારાસભ્યોના મનની વાત કેમ નથી જાણી શક્યા ?

હંમેશા ગોળીઓ ચલાવીને, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જઈને અને હવે વિધાનસભામાં મંદિર પર આભાર પ્રસ્તાવનો વિરોધ કરીને સમાજવાદી પાર્ટીને ઘેરવા માટે અખિલેશ યાદવના નેતાઓ ભાજપને કોઈને કોઈ બહાનું આપી દેતા હોય છે. સમાચાર સામે આવી રહ્યા છે કે 108 માંથી 14 સપા ધારાસભ્યોએ વિધાનસભામાં રામ મંદિર આભાર પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, ત્યારે ભાજપ આ ધારાસભ્યોના નામ જાહેર કરવા ઈચ્છી રહ્યું છે.

યુપી બજેટ સત્રના ત્રીજા દિવસે 5 ફેબ્રુઆરીએ ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન ડૉ. શલભમણી ત્રિપાઠીએ સપા પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં તેમણે કહ્યું હતું કે રામ મંદિરનું આમંત્રણ તો તમને પણ મળ્યું હતું, પણ તમે ભગવાન રામના આમંત્રણ પર આવ્યા ન હતા. તમે લોકોએ ભગવાન રામના અસ્તિત્વનો ઈનકાર કર્યો હતો. તમારી પાસે પસ્તાવો કરવાની આ છેલ્લી તક હતી. આજે જ્યારે ગૃહમાં ભગવાન રામના નામ પર અભિનંદન પ્રસ્તાવ પસાર થઈ રહ્યો હતો ત્યારે તમે લોકો ચૂપ રહી શક્યા હોત પરંતુ તમે ઝઘડો શરૂ કરી દીધો હતો. હું વિધાનસભાના અધ્યક્ષ પાસે માંગ કરું છું કે તે 14 સપા નેતાઓના નામ જાહેર કરવામાં આવે જેમણે ભગવાન રામના નામ પર આવેલ આભાર પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.

મતદારોને પણ જાણ થાય કે તેમના પ્રતિનિધિ કેવા છે

વાસ્તવમાં ભાજપ ઈચ્છે છે કે આ નામો બહાર આવે જેથી તેમના મતદારો પણ જાણી શકે કે તેમના પ્રતિનિધિઓ ન માત્ર રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા ન હતા, પરંતુ તેમને આભારનો પ્રસ્તાવ પણ સ્વીકાર્ય નથી. કોઈપણ રીતે, જનતાને એ જાણવાનો અધિકાર છે કે વિધાનસભામાં રજૂ કરાયેલી દરખાસ્તો અંગે આપણા જન પ્રતિનિધિઓનું શું વલણ છે. મતદારો તેમના કાર્યના આધારે ભવિષ્યમાં તેમના નેતાને મત આપવો કે નહીં તે નક્કી કરે છે. ધારાસભ્ય શલભ મણિએ જણાવ્યું હતું કે જે ધારાસભ્યોએ ગૃહમાં ભગવાન રામના નામનો વિરોધ કર્યો હતો, તેઓ હવે તેમનું નામ લેવા માંગતા નથી. કારણ કે તેઓ જાણે છે કે જો તે ભગવાન રામના વિરોધમાં વોટ કરીને તેના વિસ્તારમાં જશે તો માત્ર લોકો જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યો પણ તેઓને પૂછશે કે તેમણે આવું કેમ કર્યું હતું.

રામના નામે સપામાં ચાલતા વિરોધનો પર્દાફાશ કરવો : ભાજપ

ભાજપ ઈચ્છે છે કે રામમંદિર આભાર પ્રસ્તાવનો વિરોધ કરનારાઓના નામ જાહેર કરવાના બહાના હેઠળ જનતામાં એવો સંદેશ જાય કે સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવ કેવી રીતે પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જગ જાહેર છે કે રામ મંદિરના નામે પક્ષમાં બે ફાડ પડી ગઈ છે. આ પ્રસ્તાવ દરમિયાન સપાના 111 ધારાસભ્યો અને 8 આરએલડી ધારાસભ્યો ગૃહમાં હાજર હતા. પ્રસ્તાવ બાદ સપાના 97 ધારાસભ્યોએ યોગી સરકારને સમર્થન આપ્યું, માત્ર 14 ધારાસભ્યોએ વિરોધમાં હાથ ઉપર કર્યો ન હતો. યોગી સરકારને RLD ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું હતું. 14 ધારાસભ્યોમાંથી એક સ્વામી ઓમવેશે પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો છે, એટલે કે હવે પ્રસ્તાવનો વિરોધ કરવા માટે માત્ર 13 ધારાસભ્યો જ બાકી છે. સ્પષ્ટ છે કે રામમંદિરના નામ પર પાર્ટીમાં ક્યારેય ધારાસભ્ય દળની બેઠક યોજાઈ નથી કે રામમંદિર મુદ્દે પાર્ટીએ શું સ્ટેન્ડ લેવું તે અંગે પાર્ટીમાં કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં પાર્ટીને છેલ્લી ચાર ચૂંટણીઓથી નુકસાન થઈ રહ્યું છે. કારણ કે પાર્ટીને પ્રાઈવેટ લિમિટેડ કંપનીની જેમ ચલાવવામાં આવી રહી છે.

રામ મંદિર

બે તૃતિયાંશ મુસ્લિમ ધારાસભ્યો મંદિરની તરફેણમાં

2022માં, સમાજવાદી પાર્ટીના 108 ધારાસભ્યો ગૃહમાં ચૂંટાયા હતા, જેમાંથી લગભગ 32 ધારાસભ્યો મુસ્લિમ છે. આરએલડીના 9 ધારાસભ્યોમાંથી લગભગ 2 ધારાસભ્યો મુસ્લિમ છે. સમાજવાદી પાર્ટીના કુલ 13 લોકોએ રામ મંદિર માટે આભાર પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. એ સંભવ નથી કે આ તમામ મુસ્લિમ ધારાસભ્યો હશે. માની લઈએ કે આ બધા મુસ્લિમ ધારાસભ્યો હશે તો લગભગ બે તૃતિયાંશ મુસ્લિમ ધારાસભ્યો મંદિરના પક્ષમાં હોવાનું જણાય છે. આ બાબત એ સ્પષ્ટ કરી રહી છે કે મુસ્લિમોને બિન જરુરી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષો જ તેમના નામે ખરી રમત રમી રહ્યા છે.

કાર સેવકો પર ફાયરિંગની હજુપણ નેતાઓ કરી રહ્યા છે વાતો

વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના એક પણ ધારાસભ્ય હજુ જૂની સપામાંથી બહાર આવી શક્યા નથી. એ જાણવા છતાકે 90 ટકા ધારાસભ્યો રામ મંદિર સાથે છે. તેમ છતા સપા ધારાસભ્ય સરોજ ગૃહમાં કહે છે કે જો તેઓ પણ ત્યાં હોત તો તેમણે કાર સેવકો પર ગોળીબાર કર્યો હોત, વાસ્તવમાં, સમાજવાદી પાર્ટીના માણસ મુલાયમ સિંહ યાદવ 1990માં કાર સેવકો પર ગોળીઓ ચલાવીને લઘુમતી મતોના નેતા બની ગયા હતા. હવે પણ સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓને લાગે છે કે અખિલેશ યાદવે પણ આવું કરવું જોઈએ. જેના કારણે અખિલેશ યાદવ સામાન્ય લોકોને સમજી શકતા નથી. ત્યારે હાલમાં તો રામ મંદિર પર આભાર પ્રસ્તાવનો વિરોધ કરનારા ધારાસભ્યોના નામ જાહેર કરવાના બહાને ભાજપ સમાજવાદી પાર્ટીની પોલ ખોલવા ઈચ્છી રહી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : યુપીમાં ભાજપ એકને છોડીને તમામ સાંસદોની ટિકિટ કાપી રહી છે: અખિલેશ યાદવ

Back to top button