ક્યારે શરૂ થશે હોળાષ્ટક? ત્યારે શુભ કાર્યો કેમ રહેશે વર્જિત?
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![ક્યારે શરૂ થશે હોળાષ્ટક? ત્યારે શુભ કાર્યો કેમ રહેશે વર્જિત? hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/holi_1.jpg)
- હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે
HD ન્યુઝ ડેસ્કઃ રંગોનો તહેવાર હોળી, હિન્દુ ધર્મમાં બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર અધર્મ પર ધર્મના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં હોળિકા દહન ગુરુવાર 13 માર્ચે અને ધુળેટી શુક્રવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.
હોળાષ્ટક એ એવો સમયગાળો છે જેમાં લગ્ન, સગાઈ, મુંડન અને અન્ય ધાર્મિક વિધિઓ ભૂલથી પણ કરવામાં આવતી નથી. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન જે પણ સારા કાર્યો કરવામાં આવે છે, તે નિરર્થક જાય છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટકના આઠ દિવસ શરૂ થાય છે.
2025 માં હોળાષ્ટક ક્યારે શરૂ થશે?
વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે 2025માં હોળાષ્ટક શુક્રવાર, 07 માર્ચથી શરૂ થઈ રહ્યા છે. તે 13 માર્ચ, ગુરૂવારના રોજ હોળિકા દહન સાથે સમાપ્ત થશે. આ દિવસથી બે દિવસનો હોળીનો તહેવાર પણ શરૂ થશે.
હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી?
સનાતન ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે હોળાષ્ટક કાળ દરમિયાન આઠેય ગ્રહો અશુભ રહે છે. આ સમય કોઈપણ શુભ કાર્ય માટે યોગ્ય નથી. તેથી આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્ય ફક્ત અવરોધો જ પેદા કરે છે. તેથી, હોળાષ્ટક દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.
આ પણ વાંચોઃ કુંભ સંક્રાંતિના દિવસે કરો આ ત્રણ વસ્તુનું દાન, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ