કાશીના પંચાંગ અનુસાર ક્યારે ઊજવાશે દિવાળી? તારીખને લઈને અસમંજસ


- દિવાળી પાંચ દિવસનો તહેવાર છે. આ વખતે દિવાળીની તારીખને લઈને મૂંઝવણ છે. કેટલાક લોકો કહે છે કે દિવાળી 31મી ઓક્ટોબર છે, તો કેટલાક કહે છે કે 1લી નવેમ્બરે છે
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર દિવાળી પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળીના તહેવારની તારીખને લઈને મૂંઝવણ છે. કેટલાક લોકો કહે છે કે દિવાળીની તારીખ 31મી ઓક્ટોબર છે, તો કેટલાક કહે છે કે દિવાળીની તારીખ 1લી નવેમ્બર છે. આ વખતે દિવાળીની અમાસ 31મી ઑક્ટોબરની સાંજે પડી રહી છે, બીજા દિવસે 1લી નવેમ્બરે પૂરી થઈ રહી છે, તેથી દિવાળીની તારીખને લઈને મૂંઝવણ છે, પરંતુ બનારસ પંચાંગમાં, દિવાળી 31 ઑક્ટોબર તરીકે દર્શાવવામાં આવી છે.
કાર્તિક કૃષ્ણ પક્ષ તેરસ (ધન તેરસ)થી કારતક શુક્લ પક્ષ દ્વિતીયા (ભાઈબીજ) સુધી સતત પાંચ દિવસ સુધી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. પ્રકાશનો તહેવાર કારતક કૃષ્ણ તેરસ એટલે કે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સુધી પાંચ દિવસ સુધી ચાલે છે. 31મી ઓક્ટોબરે સાંજે 4.03 વાગ્યા પછી અમાસ આવશે. તેથી 31મીએ લક્ષ્મી પૂજન કરવામાં આવશે.
દિવાળી ક્યારે છે
આ વખતે દિવાળીનો તહેવાર 29મી ઓક્ટોબરથી 3જી નવેમ્બર સુધી ઉજવવામાં આવશે. વારાણસીના પંચાંગના જણાવ્યા અનુસાર, ધનતેરસ એટલે કે ધન્વંતરી જયંતિ 29 ઓક્ટોબર, બુધવારે, 30 ઓક્ટોબર, ગુરૂવારે નરક ચતુર્દશી અને હનુમંત જયંતિ, 31 ઓક્ટોબરે દિવાળી, 1લી નવેમ્બરને શુક્રવારે સ્નાન અને દાનની અમાસ ઉજવાશે. 2જી નવેમ્બર, શનિવારના રોજ અન્નકૂટ અને ગોવર્ધન પૂજા કરવામાં આવશે અને 3જી નવેમ્બરને રવિવારે ભાઈ બીજ, યમ દ્વિતિયા, કલમ દાવત પૂજા અને ચિત્રગુપ્તની પૂજા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દિવાળી બાદ શનિ દેવ આ રાશિઓ માટે ઊભી કરશે મુશ્કેલીઓ, રાખજો ધ્યાન