ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

પરવીન બાબી જ્યારે કપડાં વિના જ રસ્તા પર દોડી ગઈ હતી… શું હતી એ ઘટના?

  • મહેશ ભટ્ટ સાથે લિવ ઈનરિલેશનશિપમાં હતી રેટ્રો એક્ટ્રેસ પરવીન બાબી
  • પરવીન બાબી માટે મહેશ ભટ્ટે છોડયો હતો પરિવાર
  • યુ.જી. કૃષ્ણમૂર્તિ એ ભટ્ટને પરિવાર પાસે પાછા જવાની આપી હતી સલાહ

HD ન્યુઝ ડેસ્ક, 24 એપ્રિલ: બોલિવુડના રેટ્રોએજમાં ખુબસુરત અભિનેત્રી પરવીન બાબી સાથે મહેશ ભટ્ટે લિવ-ઈન રિલેશનશિપમાં હતા. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુંમાં ભટ્ટે આ વિશે ખુલીને વાતો કરી હતી. રેટ્રોએજ બોલિવુડની એક્ટ્રેસ પરવીન બાબી પોતાની દમદાર એક્ટીંગ માટે જાણીતી હતી.  પરવીન બાબીએ અમર અકબર એન્થની,  સુહાગ, કાલા પથ્થર, ધ બર્નિગ ટ્રેન, કાલીયા નમક હલાલ જેવી સુપરહિટ ફિલ્મો કરી હતી.  પોતાના સમયમાં પરવીન બાબી જેટલી પોતાની પ્રોફેશનલ લાઈફ થી ચર્ચામાં રહેતી હતી તેનાથી પણ વધારે તે પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચાના કેન્દ્રમાં રહેતી હતી. એક્ટ્રેસના ઘણા લવ અફેર પણ રહેલા છે જેમાં, ડેની ડેન્ઝોંગ્પા, કબીર બેદી, મહેશ ભટ્ટ સાથે પણ તેનું નામ જોડાયું હતું જેમાં મહેશ ભટ્ટ સાથે પરવીન બાબીનું નામ સૌથી વધારે ચર્ચાયું હતું. આ વાતમાં મહેશ ભટ્ટે સ્વીકારતા પોતે જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હત કે એક સમયે તેઓ પરવીન બાબી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતા. આ સંબંધ અંગે મહેશ ભટ્ટે ખુલીને જણાવ્યું હતું કે પરવીન બાબી તેમને મનાવવા માટે કપડાં વિના તેની પાછળ દોડી હતી.

એક શરત બંને વચ્ચેના અંતરનું કારણ બન્યું

મહેશ ભટ્ટે એક ખાનગી મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પરવીન અને હું બેડરુમમાં હતા ત્યારે પરવીને મને કહ્યું હતું કે, ‘ મહેશ હું અથવા યુ.જી. ? ‘ આ સાંભળીને હું ત્યારે દંગ રહી ગયો હતો.  થોડીવાર રુમનો માહોલ શાંત થઈ ગયો હતો. અમે બંને એકબીજાને તાકી રહ્યા હતા. તેના પ્રશ્નનો મે કોઈ જવાબ ના આપ્યો, તેના આંખોમાં આંસુ આવી ગયા હતા પણ તે સમજી ગઈ. પછી હું રુમ છોડીને લિફ્ટની પણ રાહ જોયા વગર સીડીઓથી જ નીચે ઉતરી ગયો. પાછળથી પરવીનનો સીડીએથી ઉતરવાનો અવાજ સંભળાયો તે કપડાં વગર જ મારી પાછળ દોડી હતી. હું તેને ત્યારે કહેવા માંગતો હતો કે તેને આ રીતે મારી પાછળ બહાર ના આવીશ. જોકે, ત્યારે કોઈ પણ ચિંતા કર્યા વગર જ હું ચાલુ વરસાદમાં જ બહાર નીકળી પડયો.

પરવીન માટે પરિવાર છોડયો

લિવ-ઈન રિલેશનશિપમાં રહેલા પરવીનબાબીએ મહેશ ભટ્ટને બેડરુમમાં જે શરત રાખી હતી તેમાં યુ.જી.નો ઉલ્લેખ કર્યો હતો તે બીજું કોઈ નહીં પણ યુ.જી. કૃષ્ણમૂર્તિ હતા. જે મહેશ ભટ્ટાના મિત્ર, ફિલોસોફર અને ગાઈડ હતા.  યુ.જી.એ જ મહેશ ભટ્ટને સલાહ આપી હતી કે પરવીનને તેના હાલ પર છોડીને પોતાના પરિવાર પાસે પરત જતું રહેવું જોઈએ. મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, પોતે પરવીન બાબીની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે તે સમયે પત્ની લોરેન બ્રાઈટ અને  પાંચ વર્ષની દીકરી પૂજાને પણ છોડી દીધી હતી.

આ પણ વાંચો: રજનીકાંતની અપકમિંગ ફિલ્મ ‘કુલી’ નું ધાંસુ ટીઝર થયું રીલીઝ

Back to top button