પાપમોચની એકાદશી ક્યારે છે? જાણો તેનું મહત્ત્વ અને પૂજા વિધિ
![Text To Speech Text To Speech](https://humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![યોગિની એકાદશી કેમ છે મહત્ત્વની, જાણો કેમ છે વિષ્ણુ ભગવાનને પ્રિય? hum dekhenge news](https://humdekhenge.in/wp-content/uploads/2023/02/lord-vishnu.jpg)
- આ વખતે પાપમોચની એકાદશીનું વ્રત 5મી એપ્રિલે રાખવામાં આવશે. એકાદશી તિથિ 4 એપ્રિલે સાંજે 4:15 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 5 માર્ચે બપોરે 1:28 વાગ્યે સમાપ્ત થશે. તેથી, પાપમોચની એકાદશીનું વ્રત 5 એપ્રિલે છે
પાપમોચની એકાદશીનું વ્રત ફાગણ વદમાં કરવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. આ ઉપરાંત પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. સાથે જ જીવનમાં આવનારી તમામ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. આ વખતે પાપમોચની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે. પૂજા વિધિ પણ જાણો
પાપમોચની એકાદશીનો શુભ સમય
આ વખતે પાપમોચની એકાદશીનું વ્રત 5મી એપ્રિલે રાખવામાં આવશે. એકાદશી તિથિ 4 એપ્રિલે સાંજે 4:15 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 5 માર્ચે બપોરે 1:28 વાગ્યે સમાપ્ત થશે. તેથી, પાપમોચની એકાદશીનું વ્રત 5 એપ્રિલે છે.
પાપમોચની એકાદશીનું મહત્ત્વ
એવું માનવામાં આવે છે કે પાપમોચમી એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ સારા આરોગ્યની પ્રાપ્તિ કરે છે. ઉપરાંત, જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય, તે પણ પૂર્ણ થાય છે. તેમજ વ્યક્તિની તમામ માનસિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત આ વ્રત વ્યક્તિને પાપમાંથી પણ મુક્ત કરે છે.
પાપમોચની એકાદશીની પૂજા પદ્ધતિ
- એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠો અને સ્નાન કર્યા પછી વ્રતની પ્રતિજ્ઞા લો.
- ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. ત્યારપછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને એક સ્થાપિત કરો અને પંચામૃતથી સ્નાન કરાવો.
- ત્યારબાદ બંનેને પીળા ફૂલની માળા અર્પણ કરો અને હળદરનું તિલક કરો.
- ત્યારબાદ ભગવાન વિષ્ણુને પંચામૃત અને પંજરીનો ભોગ લગાવો, ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો
- પૂજામાં તુલસીના પાન અવશ્ય સામેલ કરો અને આરતી સાથે પૂજા સમાપ્ત કરો.