ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024

પાંશાકુશા એકાદશી ક્યારે છે? જાણો મહત્ત્વ, કેમ નથી ચઢાવાતું તુલસીને જળ?

  • પાંશાકુશા એકાદશી પર તુલસીને જળ ચઢાવવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આ દિવસે તુલસીને જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે

HD ન્યુઝ ડેસ્કઃ પાંશાકુશા એકાદશી 13 ઓક્ટોબરે છે. આ દિવસે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને વ્રત રાખે છે. સનાતન ધર્મમાં તમામ એકાદશીઓ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલ આસો મહિનો ચાલી રહ્યો છે. આ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પાંશાકુશા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પૂર્ણ વિધિ સાથે વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય તુલસી પણ તેમના માટે ઉપવાસ કરે છે. આ જ કારણ છે કે આ દિવસે તુલસીને જળ ચઢાવવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આ દિવસે તુલસીને જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે, તેથી પાંશાકુશા એકાદશીના દિવસે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને મનવાંછિત ફળ આપે છે.

પાંશાકુશા એકાદશીનો શુભ સમય

હિંદુ કેલેન્ડર મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની એકાદશી 13 ઓક્ટોબરે છે. આ દિવસે પાંશાકુશા એકાદશી વ્રત રાખવામાં આવશે. એકાદશી તિથિ 13 ઓક્ટોબરના રોજ સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 14 ઓક્ટોબરના રોજ સવારે 6:41 વાગ્યે સમાપ્ત થશે. 14મી ઓક્ટોબરે વ્રતના પારણા કરવામાં આવશે.

પાંશાકુશા એકાદશી ક્યારે છે? જાણો મહત્ત્વ, શુભ મુહૂર્ત, કેમ નથી ચઢાવાતું તુલસીને જળ?  hum dekhenge news

પાંશાકુશા એકાદશીની પૂજા વિધિ

એકાદશીના દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને ઉપવાસનો સંકલ્પ કરવો જોઈએ. સંકલ્પ લીધા પછી લાકડાના બાજઠ પર પીળું કપડું પાથરી તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકો અને વિધિ પ્રમાણે પૂજા કરો અને ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો. તે પછી ભગવાનને પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પિત કરો. દિવસભર વ્રત રાખો અને રાત્રે ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન અને દાન આપીને વ્રતના પારણા કરવા જોઈએ.

પાંશાકુશા એકાદશીનું મહત્ત્વ

એવી માન્યતા છે કે પાંશાકુશા એકાદશીનું વ્રત કરવાથી હજાર અશ્વમેઘ યજ્ઞ અને હજાર સૂર્ય યજ્ઞ જેટલું ફળ મળે છે. આ વ્રત રાખનાર વ્યક્તિના જીવનમાં હંમેશા ખુશહાલી રહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. ભક્તોએ આ દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ અને પીળા વસ્ત્રો ધારણ કરીને પૂજા કરવી જોઈએ. તેનાથી મનવાંચ્છિત ફળ મળે છે.

વિષ્ણુ ભગવાનને આ ભોગ લગાવો

પાંશાકુશા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને મોસમી ફળ, પંજીરી, કેસર ખીર, પંચામૃત વગેરે અર્પણ કરી શકાય છે. એવું કહેવાય છે કે આ પ્રસાદ ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એકાદશીનો દિવસ વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે, તેથી તેમને મનપસંદ વસ્તુઓ અર્પણ કરો, જેથી તેઓ વ્રતનો પૂરો લાભ મેળવી શકે.

આ પણ વાંચોઃ આ ત્રણ રાશિ છે મા દુર્ગાની ફેવરિટ, નવરાત્રીમાં પૂરી થશે દરેક ઈચ્છા

Back to top button