ગુરુનાનક જયંતિ ક્યારે ઉજવાય છે? શું છે તેનું મહત્ત્વ?


- આ વર્ષે ગુરુનાનક જયંતિ 27 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ગુરુદ્વારાઓમાં અખંડ પાઠ, કીર્તન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ગુરુદ્વારાને સુંદર રીતે શણગારવામાં આવે છે
શીખોના પ્રથમ ગુરુ અને શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનો જન્મ કારતક મહિનાની પૂર્ણિમાએ હતો. આ પ્રસંગની યાદમાં દર વર્ષે આ દિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં દેવદિવાળીનો તહેવાર પણ હોય છે. આ વર્ષે ગુરુનાનક જયંતિ 27 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ગુરુદ્વારાઓમાં અખંડ પાઠ, કીર્તન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ગુરુદ્વારાને સુંદર રીતે શણગારવામાં આવે છે અને પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ગુરુ નાનક જયંતિનો ઇતિહાસ
એવું માનવામાં આવે છે કે ગુરુ નાનકજીનો જન્મ વર્ષ 1469 માં કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. ત્યારથી, દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે, શીખ લોકો તેમના પ્રથમ ધાર્મિક ગુરુ ગુરુનાનક દેવજીની જન્મજયંતિ ઉજવે છે.
ગુરુ નાનક જયંતિની ઉજવણી
શીખ ધર્મના ધાર્મિક સ્થળોએ ગુરુ નાનક જયંતિની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. આ દિવસે સવારની શરૂઆત અમૃત બેલાના ઉત્સવથી થાય છે. ભજન ગવાય છે, કીર્તન થાય છે અને વાર્તાઓનું પઠન થાય છે. ત્યાર બાદ પ્રાર્થના સભા અને પછી લંગરનું આયોજન કરવામાં આવે છે. લંગર પછી પણ આખો દિવસ કથા અને કીર્તન ચાલુ રહે છે. આ દિવસે લોકો પોતાના ઘર અને ગુરુદ્વારામાં દીવા પ્રગટાવે છે અને મીઠાઈઓ ચઢાવે છે. રાત્રે ગુરુદ્વારામાં પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાત્રે ગુરબાની બાદ કાર્યક્રમનું સમાપન થાય છે.
ગુરુ નાનક જયંતિનું મહત્વ
શીખ સમુદાયના લોકો આ તહેવારને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવે છે અને આ દિવસે ગંગામાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દીપદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ક્યારે છે દેવઉઠી એકાદશી? હિંદુ ધર્મમાં શું છે મહત્ત્વ?