ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

પૂર્વ PM મનમોહન સિંહનું પાકિસ્તાન સાથે શું કનેક્શન છે? જાણો ચોંકાવનારી વિગતો

  • પીએમ નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા મોટા નેતાઓએ તેમને શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર: આગલી પેઢીના ઘણા નેતાઓની જેમ ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહન સિંહનું પણ પાકિસ્તાન કનેક્શન છે. આ રસપ્રદ કનેક્શન આજે તેમના જન્મદિવસે શૅર કરી રહ્યા છીએ. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો આજે 92 વર્ષના થયા છે. પીએમ નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા મોટા નેતાઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે. મનમોહન સિંહ 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. લાલકૃષ્ણ અડવાણીની જેમ તેઓ પણ એવા વ્યક્તિત્વ રહ્યા છે કે, જેમના સંબંધો માત્ર ભારત સાથે જ નહીં પરંતુ પાકિસ્તાન સાથે પણ છે. જ્યારે તેમણે ભાગલાની પીડા સહન કરી, ત્યારે તેમણે ભારતની આર્થિક ઉદારીકરણની નીતિઓ પણ અમલમાં મૂકી. મનમોહન સિંહનો જન્મ પંજાબના ચકવાલ જિલ્લાના ગાહ ગામમાં થયો હતો.

ભારતના વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાનમાં ઘણી ચર્ચાઓ થઈ

મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાનમાં ઘણી ચર્ચાઓ થઈ હતી. એટલું જ નહીં, 2007માં પાકિસ્તાનના પંજાબની તત્કાલીન સરકારે ગાહ ગામને મોડેલ ગામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગાહ ગામમાં બનેલી સરકારી બોયઝ સ્કૂલનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તે હવે મનમોહન સિંહ ગવર્નમેન્ટ બોયઝ સ્કૂલ તરીકે ઓળખાય છે. એટલું જ નહીં, મનમોહન સિંહના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન ગામ લોકોએ તેમને આમંત્રણ પન આપ્યું હતું. ગામના રહેવાસી રાજા મોહમ્મદ અલીએ કહ્યું હતું કે, અમે તેમને અહીં આવવા આમંત્રણ આપીએ છીએ. આટલું જ નહીં, જ્યારે તેઓ પોતે ભારત આવ્યા ત્યારે તેઓ મનમોહન સિંહ અને તેમના પરિવારને પણ મળ્યા હતા.

મોહમ્મદ અલીએ કહ્યું કે, “મનમોહન સિંહ આવશે તો અમને આનંદ થશે. અમે તેમને બાજરીનો રોટલો ખવડાવીશું.” મનમોહન સિંહ અને તેમનો પરિવાર ભાગલા પછી ભારત આવ્યા હતા. તેમના ગામમાં શીખો અને હિન્દુઓની મોટી વસ્તી હતી, પરંતુ જ્યારે મોટા પાયે હિંસા ફાટી નીકળી ત્યારે લોકો કોઈક રીતે પોતાનો જીવ બચાવવા ભાગી છૂટ્યા હતા. શાળાનું નામ હવે મનમોહન સિંહ સરકારી શાળા છે જ્યાં પૂર્વ પીએમ ભણ્યા હતા. જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે મનમોહન સિંહ સિવાય તેમની સાથે ભણેલા અન્ય ઘણા લોકોના પરિવારો પણ ભારત આવ્યા હતા. આજે આ લોકો ભારતના વિવિધ શહેરોમાં જેમ કે અંબાલા, અમૃતસર અને દિલ્હીમાં સ્થાયી થયા છે.

આજે ગામમાં બધું મનમોહન સિંહના કારણે છે: મિત્રો

પાકિસ્તાનના ગાહ ગામમાં રહેતા તેમના સહાધ્યાયી રાજા મોહમ્મદ અલીએ જણાવ્યું કે, તેઓ અને મનમોહન સિંહ પ્રથમથી ચોથા ધોરણ સુધી સાથે ભણ્યા હતા. આ પછી મનમોહન સિંહે ચકવાલ શહેરમાં ભણવાનું શરૂ કર્યું અને ભાગલા પછી તેમનો પરિવાર ભારતમાં સ્થળાંતર કરી ગયો. આજે પણ તેમના ગામના લોકો મનમોહન સિંહનો આભાર માને છે અને કહે છે કે, તેમના કારણે જ આદર્શ ગામ બન્યું હતું. રાજા મોહમ્મદ અલીએ કહ્યું હતું કે, ‘એક વ્યક્તિના કારણે ગામમાં ડબલ રોડ છે. સ્ટ્રીટ લાઇટ છે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગથી બે શાળાઓ છે. બે હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. આ સિવાય મસ્જિદથી લઈને ઘર સુધીની દરેક વસ્તુ કોન્ક્રીટથી બનાવવામાં આવી છે.

આ પણ જૂઓ: ‘ગરવી ગુજરાત’ ભારત ગૌરવ ટ્રેન થશે શરૂઃ દેશભરના પ્રવાસીઓ આવશે ગુજરાત

Back to top button