નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ, તો માં દુર્ગાની સંપૂર્ણ કૃપા થશે પ્રાપ્ત 

 શારદીય નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગા પૃથ્વી પર ફરવા આવી ભક્તોને આપે છે આશીર્વાદ 

 તમે માતા અંબેના આશીર્વાદ ઈચ્છતા હોવ તો નવરાત્રિની શરૂઆત પહેલા કેટલાક કામ કરો

નવરાત્રિ પહેલા ઘરને સારી રીતે સાફ કરો

ઘરમાં માંસ, દારૂ, લસણ, ડુંગળી જેવી અશુદ્ધ વસ્તુઓ હોય તો તેને દૂર કરો

જે ઘરમાં કળશ લગાવવામાં આવે છે તે ઘરની પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે

ઘરમાંથી તૂટેલાં વાસણો અને જૂના ફાટેલાં કપડાં કાઢી નાખો. તેની હાજરીથી ઘરમાં નકારાત્મકતા વધશે જેના કારણે ઘરમાં કષ્ટ વધશે

 જો કોઈ તૂટેલી મૂર્તિ કે ચિત્ર હોય તો તેને વહેતા પાણીમાં આદરપૂર્વક વિસર્જિત કરો. તેની જગ્યાએ નવી પ્રતિમા અને ફોટો લાવો