ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો તમારું ધ્યાન

અત્યારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 

કાળઝાળ ગરમીને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે

તેમજ માથાનો દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર, ચામડીના અનેક રોગોનું જોખમ વધી શકે છે 

લાંબા સમય સુધી તડકામાં રહેવાથી થાક, નબળાઈ અને બેભાન થવા જેવા લક્ષણો પણ જોવા મળે છે

તેવામાં ગરમીમાં તમારે પોતાની જાતનું ધ્યાન રાખવા માટે કેટલીક વસ્તુઓ કરવાની જરુર છે

ઉનાળાની ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવું જોઈએ 

વિટામીન સીનું સેવન કરવાથી શરીરનું તાપમાન ઘટે છે   

શરીરને સૂર્યપ્રકાશની ખરાબ અસરથી બચવા માટે લીલાશાકભાજીનું સેવન પણ ફાયદાકારક માનવામાં આવે છે 

તે સાથે જ ગરમીમાં ડાયેટમાં કેળા અને દહીંનો સમાવેશ કરી શકો છો 

દહીંમાં રહેલ પ્રોબોયોટીક્સ પેટને ઠંડુ રાખે છે

તમારે વધુ પડતું તેલયુક્ત અથવા મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ