RSSની વિચારધારા વાળા લોકોને કોંગ્રેસમાંથી હાંકી કાઢીશુંઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, 26 ડિસેમ્બર, બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ આગામી દિવસોનો એજન્ડા નક્કી કરશે. પ્રથમ દિવસે પક્ષના નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પરંતુ આ દરમિયાન પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીને તાત્કાલિક કેટલાક લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે, જેઓ અમારી અંદર એટલે કે અમારી પાર્ટીમાં RSSની વિચારસરણી ધરાવે છે તેમને દૂર કરવા પડશે. ત્યારે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતા કહ્યું કે અમારી પાર્ટીમાં જેઓ RSSની વિચારસરણી ધરાવે છે તેમને પહેલા શોધીને હટાવવા પડશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જાતિ ગણતરી, ચૂંટણી પંચ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ એક નેતાએ રાહુલ ગાંધી સમક્ષ આરએસએસની વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ CWCની બેઠકમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી. કહ્યું- મહારાષ્ટ્રમાં 118 બેઠકો પર 72 લાખ મતદારો ઉમેરવામાં આવ્યા, જેમાંથી ભાજપે 102 પર જીત મેળવી. લોકસભાની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં મોટો ફેરફાર થયો હતો. તે ખૂબ જ સ્પષ્ટ છે, ક્યાંક કંઈક ખોટું છે. ગુરુવારે કર્ણાટકના બેવાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં ‘નવ સત્યાગ્રહ’ બેઠક યોજાઈ હતી.
CWCના સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાજપની ધર્મની રાજનીતિનો સામનો કરવા માટે કોંગ્રેસે તેલંગાણાની તર્જ પર તેના દ્વારા શાસિત દરેક રાજ્યમાં જાતિની વસ્તી ગણતરી કરવી જોઈએ. આને મોટા પાયા પર ઉઠાવવું જોઈએ. CWCની “નવ સત્યાગ્રહ મીટિંગ” નામની બેઠક ગુરુવારે અહીં બેલાગવીમાં શરૂ થઈ હતી. પાર્ટી તેના બેલગામ સત્રની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે, જેની અધ્યક્ષતા મહાત્મા ગાંધીએ કરી હતી. બેઠકમાં 2025માં રાજકીય અને ચૂંટણીલક્ષી પડકારો માટે યોજના તૈયાર કરવામાં આવશે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે ભારત જોડો યાત્રાની જેમ રાહુલ ગાંધીએ જિલ્લા સ્તરે જઈને લોકો અને કાર્યકરોને મળવું પડશે, અમે રાહુલ ગાંધીને સંસદમાં, સભાઓમાં મળીએ છીએ, પરંતુ સામાન્ય કાર્યકર તેમને મળવા સક્ષમ નથી. .
આ પણ વાંચો..ક્રેડિટ કાર્ડ વપરાશકર્તા માટે મોટા સમાચાર, આ નાની ભૂલ તમને મોંઘી પડશે…