VIDEO: ‘મને ડંડાથી માર્યો હતો, 7 દિવસ જેલનું ભોજન ખાધુંઃ’ અમિત શાહ

નવી દિલ્હી, તા. 15 માર્ચ, 2025: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શનિવારે આસામની મુલાકાતે પહોંચ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહે ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડમીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જાહેર સભાને પણ સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન, કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના કાર્યકાળને યાદ કર્યો હતો. તેમણે કહ્યું આસામમાં કોંગ્રેસ સરકાર દરમિયાન તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમણે રાજ્યમાં સાત દિવસ જેલનું ભોજન ખાધું હતું.
શાહે શું કહ્યું ?
ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસે આસામમાં શાંતિ સ્થપવા દીધી નથી. કેન્દ્રીય ગૃહમંપ્રધાન અમિત શાહે કહ્યું કે આસામની કોંગ્રેસ સરકારે મને પણ હરાવ્યો છે. હિતેશ્વર સૈકિયા આસામના મુખ્યપ્રધાન હતા અને અમે ભૂતપૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા. મેં આસામમાં સાત દિવસ જેલનું ભોજન પણ ખાધું અને દેશભરમાંથી લોકો આસામને બચાવવા આવ્યા હતા. આજે આસામ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે.
હિતેશ્વર સૈકિયા ૧૯૮૩ થી ૧૯૮૫ અને પછી ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી બે વાર આસામના મુખ્યપ્રધાન રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે આસામની લચિત બરફૂકન પોલીસ એકેડેમી આગામી 5 વર્ષમાં દેશની ટોચની પોલીસ એકેડેમી બનશે.
#WATCH | Assam: Speaking at the inaugural ceremony of Lachit Barphukan Police Academy in Dergaon, Union Home Minister Amit Shah says, “…I have also been beaten up by the Congress government in Assam. Hiteshwar Saikia was the Chief Minister of Assam and we used to raise slogans… pic.twitter.com/POgqpfuoP5
— ANI (@ANI) March 15, 2025
ગૃહપ્રધાન શાહે આસામના મુખ્યપ્રધાનને અભિનંદન પાઠવ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં પોલીસ એકેડેમી સમગ્ર દેશની શ્રેષ્ઠ પોલીસ એકેડેમી બનશે. લચિત બરફૂકનના નામ પરથી તેનું નામકરણ કરવા બદલ હું આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માનો આભાર માનું છું. બહાદુર યોદ્ધા લચિત બરફૂકને આસામને મુઘલો સામે વિજય મેળવવામાં મદદ કરી હતી. લચિત બરફૂકન ફક્ત આસામ રાજ્ય પૂરતું મર્યાદિત હતું, પરંતુ આજે લચિત બરફૂકનનું જીવનચરિત્ર 23 ભાષાઓમાં શીખવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી રહ્યું છે.
સરકાર આસામમાં માળખાગત પ્રોજેક્ટ્સ લાવશે
આ કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું કે મોદી સરકાર તાજેતરના બિઝનેસ સમિટમાં પ્રસ્તાવિત 5 લાખ કરોડ રૂપિયાના રોકાણ ઉપરાંત આસામમાં 3 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાવશે.
આ કાર્યક્રમમાં આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્માર્ટ પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં એક હથિયાર સિમ્યુલેટર હશે. જે આપણા દળોને કોઈપણ જોખમ અને ખર્ચ વિના વાસ્તવિક-વિશ્વ યુદ્ધના દૃશ્યો માટે તૈયાર કરશે અને તેમની મૂળભૂત તાલીમ સુનિશ્ચિત કરશે.
The Assam Police has always served as the invincible shield of Bharat’s national security. Assam CM Shri @himantabiswa Ji’s initiative to set up a new police academy under PM Shri @narendramodi Ji’s vision to modernize Assam Police will mould the force with the ideals of Lachit… pic.twitter.com/4STInfkYCW
— Amit Shah (@AmitShah) March 15, 2025
આ પણ વાંચોઃ વાલીઓ આનંદો! RTE એકટ હેઠળ ધો.૧માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને કરી રૂ. ૬ લાખ